SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પર્વ-પ્રવચનમાળા પોતાની શાળામાં-કોઢમાં આવ્યો. ભગવાનને જોઈને અમંગલ કલ્પના કરી. હથોડો લઈને ભગવાનને મારવા દોડ્યો. એ સમયે દેવરાજ ઈન્દ્ર પ્રકટ થઈને એ હથોડાથી એને માર્યો. ભગવાનને વંદના કરીને ઇન્દ્ર ચાલ્યો ગયો. વૈશાલીથી વિહાર કરીને ભગવાન રામક-સન્નિવેશ થઈને શાલીશીર્ષ આવ્યા. ત્યાં ગામની બહાર ઉદ્યાનમાં ધ્યાનારુઢ થઈ ગયા. માઘ માસ ચાલતો હતો. ભયંકર ઠંડી પડતી હતી. ‘કટપુતના' નામની એક વાણવ્યંતરી દેવી ત્યાં આવી. ભગવાનને જોઈને જ તે ક્રોધથી ઊછળી પડી. તેણે પરિવ્રાજિકાનું રૂપ ધારણ કર્યું. પોતાની જટામાં જળ ભરીને ભગવાનની ઉપર છાંટવા લાગી. ભગવાનના ખભા ઉપર ચડીને પોતાની જટાઓથી પવન નાખવા લાગી. આ ભીષણ ઉપસર્ગને પણ ભગવાને પૂર્ણ સ્વસ્થતાથી સહન કરી દીધો. ત્યાં ભગવાનને લોકાવધિ-જ્ઞાન’ ઉત્પન્ન થયું. કટપુતનાને હાર માનવી પડી. તે ભગવાનની પૂજા કરવા લાગી. ત્યાંથી ભગવાને વિહાર કર્યો. છઠું ચાતુમસ ભદિયા નગરમાં વ્યતીત કર્યું. ગોશાલક ફરીથી ત્યાં આવીને ભગવાનને મળ્યો. ચાતુર્માસ પછી ભગવાને મગધભૂમિ તરફ વિહાર કર્યો. સાતમું ચાતુર્માસ ભગવાને આલંબિયા નગરીમાં કર્યું. આ એ જ આલંબિયા નગરી હતી કે જ્યાં ભગવાને કેવળજ્ઞાની બનીને પણ ચાતુર્માસ કર્યું હતું. અને જ્યાં “ચુલ્લશતક'નામનો મહા શ્રાવક રહેતો હતો. પોગ્ગલ-પરિવ્રાજક પણ ત્યાંનો જ હતો. જેને ભગવાને પોતાનો પરમ શ્રાવક બનાવ્યો હતો. આલંભિયાથી વિહાર કરીને ભગવાન બહુશાલગ ગામમાં પહોંચ્યા. ત્યાં ‘શાલવન” ઉદ્યાનમાં ધ્યાનસ્થ થયા, ત્યાં ‘શાલાય નામની વ્યંતરી દેવીએ ખૂબ જ ઉપસર્ગ કર્યો. ભગવાન નિશ્ચલ રહ્યા. વ્યંતરદેવી થાકીને પોતાને સ્થાને પાછી ફરી. ત્યાંથી ભગવાન લોહાગલા પધાર્યા. ત્યાં ભગવાનને ગોપાલકની સાથે આ ગુપ્તચરો છે,’ એમ માનીને પકડી લીધા. પરિચય થતાં રાજા જિતશત્રુએ ક્ષમા માગી અને બંધનોમાંથી મુક્ત કર્યા. ભગવાન ત્યાંથી પુરિમતાલ” પધાર્યા. ત્યાં ઇશાનેન્દ્ર ભગવાનને વંદન કરવા આવ્યો હતો. ત્યાંથી ભગવાન રાજગૃહ પધાર્યા અને ત્યાં આઠમો વષકાળ વ્યતીત કર્યો. ફરીથી ભગવાન અનાર્ય દેશમાં ગયા. તેમને તો તેમના કર્મોનો નાશ કરવો હતો. ભગવાને નવમો વર્ષાકાળ અનાર્ય દેશમાં પસાર કર્યો. આ ચાતુમસ ભગવાને ઝાડોની નીચે યા ખંડેરોમાં ધ્યાન ધરીને પૂર્ણ કર્યું. ચાતુર્માસ પછી પુનઃ આદિશમાં પ્રભુએ પ્રવેશ કર્યો. ભગવાન ગોશાલકની સાથે સિદ્ધાર્થપુર, કૂર્મગ્રામ ઇત્યાદિ ગામોમાં વિચરતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy