SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પર્વ-પ્રવચનમાળા ઉદાસીનતા શા કામની? એક પક્ષી પણ પોતાના માળાની રક્ષા કરે છે. તમે તો ક્ષત્રિય કુમાર છો.' વગેરે ઉપાલંભ આપ્યો. વષકાળના પંદર દિવસ વીતી ચૂક્યા હતા. ભગવાને વિચાર કર્યોમારું અહીં રહેવું આ તાપસોને અપ્રીતિકર લાગે છે. એટલા માટે મારે અહીં ન રહેવું જોઈએ.” ભગવાને પાંચ પ્રકારની પ્રતિજ્ઞા કરી લીધી. ना प्रीतिमद्गृहे वासः स्थेयं प्रतिमया सह । न गेहिविनयो कार्यः मौनं पाणौ च भोजनम् ॥ ૧. અપ્રીતિ થતી હોય તેવા સ્થળે રહીશ નહીં ૨. સદા ધ્યાનમાં લીન રહીશ. ૩. સદા મૌન રહીશ. ૪. હાથમાં ભોજન કરીશ. ૫. ગૃહસ્થોનો વિનય નહીં કરું. - તેઓ આશ્રમથી વિહાર કરીને અસ્થિગ્રામ પધાર્યા અને ચાતુર્માસ ત્યાં વ્યતીત કર્યું. અસ્થિગ્રામમાં ભગવાન “શૂલપાણિ યક્ષના મંદિરમાં ઊતર્યા. રાત્રિના સમયે એ શૂલપાણિ યક્ષે કોપાયમાન થઈને અનેક ઉપસર્ગો કર્યા. ભયંકર અટ્ટહાસ્યો કર્યા. હાથીનું સ્વરૂપ લઈને દંતપ્રહારો કર્યા. પિશાચનું રૂપ ધરીને નખોથી, દાંતોથી કાપવા-કરડવા લાગ્યો. સાપ બનીને ડંખવા લાગ્યો. ભગવાનની આંખોમાં, કાન, નાક, દાંત, નખ અને પીઠમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી. છતાં પણ ભગવાન નિશ્ચલ અને નિરાકુલ રહ્યા. પરિણામ-સ્વરૂપ શૂલપાણિ ભગવાનના ચરણોમાં નમી પડયો અને ક્ષમાયાચના કરી. એ રાત્રે છેલ્લા પ્રહરમાં જ્યારે એક મુહૂર્ત રાત બાકી રહી ત્યારે ભગવાનને નિદ્રા આવી ગઈ અને તેમણે ૧૦ સ્વપ્નો જોયાં. અસ્થિગ્રામના “ઉત્પલ' નામના નિમિત્તવેત્તાએ એ ૧૦ સ્વપ્નોનો ફળાદેશ ભગવાનને સંભળાવ્યો. ભગવાને આ ચાતુમસિમાં આઠ વાર ૧૫-૧૫ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ભગવાને ત્યાંથી વિહાર કર્યો અને મોરાક સન્નિવેશમાં પધાર્યા ત્યાંથી વિહાર કરીને વાચાલા તરફ પ્રસ્થાન કર્યું. દક્ષિણ વાચાલી થઈને ઉત્તર વાચાલા જઈ રહ્યા હતા, તો રસ્તામાં કેટલાક ગોવાળો મળ્યા. તેમણે કહ્યું હે દેવાર્ય. આ માર્ગ સારો નથી. રસ્તામાં એક દૃષ્ટિવિષ' સાપ રહે છે. તે મુસાફરોને બાળી દે છે. આપ પાછા ફરી જાઓ.'પરંતુ ભગવાન એ જ રસ્તે આગળ વધ્યા, રસ્તામાં ચંડકૌશિક સાપે ભગવાનને જોયા. ભગવાન ધ્યાનસ્થ બનીને ઊભા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy