SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા -પ્રવચન (૧). ૧૦૭ રહ્યા. સાપે ભગવાનના ચરણ ઉપર ડંખ માર્યો.શ્વેત દૂધની ધારા વહેવા લાગી, ભગવાને સર્પને સંબોધિત કરીને કહ્યું: ૩વસમ જો વાડોલિયા | ‘ચંડકૌશિક' સાપના પૂર્વ જન્મનું નામ હતું. સાંભળીને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે અનશન કર્યા અને મરીને આઠમા દેવલોકમાં ગયો. ભગવાન ઉત્તર વાચાલા પહોંચ્યા. ત્યાં નાગસેનના ઘેર પંદર ઉપવાસનાં પારણાં કર્યા. ઉત્તર વાચાલાથી ભગવાન શ્વેતામ્બી નગરી પધાર્યા. ત્યાંના પ્રદેશ રાજાએ અતિ આદરથી ભગવાનનું સ્વાગત કર્યું. વંદન કર્યો. ભગવાને ત્યાંથી સુરભીપુર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં રથોમાં બેસીને શ્વેતાંબી જતા પાંચ રાજાઓ મળ્યા. તેમણે ભગવાનને વંદના કરી. ભગવાન આગળ વધ્યા. રસ્તામાં ગંગા નદી આવી. નદી પાર કરવા માટે ભગવાન સિદ્ધદત્તની નૌકામાં બેઠા. ગંગાના મધ્યભાગે નૌકા પહોંચી ત્યારે “સુદંષ્ટ્ર નામના દેવે નદીમાં ભયંકર તોફાન ઊભું કરી દીધું. ભગવાન તો નૌકામાં જ ધ્યાનસ્થ થઈને મેવત્ નિશ્ચલ બેસી રહ્યા. એ સમયે કમ્બલ-શમ્બલ નામના બે દેવોએ તોફાન શાન્ત કર્યું. અને ભગવાનને ભાવપૂર્વક વંદના કરી. ભગવાન કિનારે ઊતર્યા અને ગંગા કિનારે ચાલતા ચાલતા થુણાક સંનિવેશ પધાર્યા. એ સમયનો શ્રેષ્ઠ સામુદ્રિકશાસ્ત્રી પુષ્ય, એ કિનારેથી જઈ રહ્યો હતો. તેણે ભગવાનનાં પદચિહ્નો જોયાં. તેણે વિચાર્યું: “આ પદચિહનો તો કોઈ ચક્રવર્તીનાં છે. એ ચિહ્નો જોતા જોતા થુણાક પહોંચી ગયો. ત્યાં સન્નિવેશની બહાર, અશોકવૃક્ષની નીચે ભગવાન ધ્યાનસ્થ દશામાં ઊભા હતા, પુષ્ય ભગવાનનાં દર્શન કર્યા. આખા શરીર ઉપર ચક્રવર્તીનાં લક્ષણ જોયાં પુષ્ય ચિંતામાં પડી ગયો. સામુદ્રિકશાસ્ત્ર ઉપરથી તેનો વિશ્વાસ ઊઠી ગયો. તે પોતાનાં શાસ્ત્રોને ગંગામાં ડુબાડી દેવા તૈયાર થયો. ત્યાં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થઈને કહ્યું “પુષ્ય, તને લક્ષણશાસ્ત્રનું સાચું જ્ઞાન નથી. આ ભગવંત શ્રેષ્ઠ ધર્મ-ચક્રવર્તી છે. દેવ-દેવેન્દ્રને માટે પણ પૂજ્ય છે!' ઈન્દ્રની વાત સાંભળીને પુષ્યના મનનું સમાધાન થયું અને તે નમન કરીને ચાલ્યો ગયો. કૃણાકથી વિહાર કરીને ભગવાન રાજગહ પધાર્યા. નાલંદામાં ઊતર્યા. નાલંદામાં એક તંતુવાદ્યશાળા હતી, તેના માલિકની અનુમતિ લઈને ત્યાં ભગવાને ચાતુમસ કર્યું. ત્યાં ભગવાનને ગોશાલક મળ્યો. તેના પિતા પંખલી મંખ જાતિનો હતો. તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy