SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા • પ્રવચન (૧) ૧૦૫ ભગવાને ક્ષત્રિયકુંડથી વિહાર કર્યો. તેમના ખભા ઉપર એક માત્ર ‘દેવદુષ્ય’ હતું, કે જે દીક્ષાના સમયે દેવેન્દ્ર ઇન્દ્રે તેમના ખભા ઉપર મૂક્યું હતું. રસ્તામાં રાજા સિદ્ધાર્થનો જૂનો મિત્ર ‘સોમ’ બ્રાહ્મણ મળ્યો. ગરીબ હતો. ભગવાને જ્યારે સંવત્સર દાન આપ્યું હતું ત્યારે તે સોમ બ્રાહ્મણ પરદેશ ગયો હતો. તે જ્યારે પાછો ફર્યો તો ભગવાને ગૃહત્યાગ કરી દીધો હતો. ભગવાને સોમને અડધું દેવદુષ્ય આપી દીધું ! સોમ એ લઈને ઘેર ચાલ્યો ગયો. ભગવંત કરિગ્રામ પહોંચ્યા. રાત્રિ ત્યાં જ વ્યતીત કરવાના ખ્યાલથી તેઓ ધ્યાનમાં સ્થિર થઈ ગયા. ત્યાં ગોવાળની એક ઘટના બની. એક ગોવાળ પોતાના બળદો ભગવાનની પાસે છોડીને તે ગામમાં ચાલ્યો ગયો. બળદ તો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ જ્યારે પાછો આવ્યો તો તેણે બળદોને જોયા નહીં. તેણે ભગવાનને પૂછ્યું. ભગવાન તો ધ્યાનસ્થ હતા. તે જંગલમાં બળદો શોધવા ચાલ્યો ગયો. બળદો પોતાની મેળે પ્રાતઃકાળે ભગવાનની પાસે આવીને ઊભા રહી ગયા ! એ ગોવાળ પણ ત્યાં આવ્યો. તેણે ભગવાન પ્રત્યે રોષ કર્યો, અને બળદ બાંધવાની દોરી લઈને ભગવાનને મારવા દોડ્યો. એ સમયે દેવરાજ ઇન્દ્રે અવધિજ્ઞાનથી આ દૃશ્ય જોયું. તરત જ ગોવાળને સ્થિર કરી દીધો અને પોતે પ્રકટ થઈને ગોવાળને ધમકાવ્યો. ભગવાનનો પરિચય આપ્યો. ગોવાળ શરમાઈને ચાલ્યો ગયો. ભગવાને કમરિગ્રામથી વિહાર કર્યો અને કોલ્લાગ-સન્નિવેશ પધાર્યા. ત્યાં તેમણે ‘બહુલ’ નામના બ્રાહ્મણને ઘેર છઠ (બે ઉપવાસ)નું પારણું કર્યું. કોલ્લાગ-સન્નિવેશથી ભગવાને વિહાર કરીને મોરાક-સન્નિવેશ તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં તેઓ ‘દુઈજ્જત્તક' નામના તાપસના આશ્રમમાં ગયા. આશ્રમનો કુલપતિ રાજા સિદ્ધાર્થનો મિત્ર હતો. તેણે ભગવાનનું સ્વાગત કર્યું, અને વર્ષાકાળ એ આશ્રમમાં વ્યતીત કરવાનો આગ્રહ કર્યો. ભગવાન આસપાસના પ્રદેશમાં રિભ્રમણ કરીને વર્ષાકાળ વ્યતીત કરવા માટે એ આશ્રમમાં પધાર્યા. કુલપતિએ તેમને રહેવા માટે એક પર્ણકુટી આપી. ભગવાન તો ત્યાં અનાસક્ત ભાવે રહ્યા. પરંતુ આશ્રમમાં વાતાવરણ જુદું હતું. ત્યાંના તાપસોને પોતપોતાની ઝૂંપડી પ્રિય હતી. ભૂખથી પીડિત ગાયો જ્યારે ઝૂંપડીનું ઘાસ ખાવા તૂટી પડતી, ત્યારે એ તાપસો ગાયોને રોકતા હતા. ભગાડી મૂકતા અને મારતા પણ ખરા. જ્યારે ભગવાન તો કશું કરતા ન હતા. ગાયો એમની ઝૂંપડીનું ઘાસ ખાતી હતી. તાપસોએ કુલપતિને ફરિયાદ કરી. કુલપતિએ ભગવાનને ઠપકાના બે શબ્દો કહ્યા. ‘કુમાર, આવી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy