SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જન્મકલ્યાણક: ચૈત્ર સુદ તેરસના દિવસે ત્રિશલા રાણીએ કોઈ પણ પ્રકારની પીડા વગર પુત્રરત્નને જન્મ આપ્યો. ત્રણે ભુવનોને સુખી કરવા માટે જન્મ લેનારા ભગવંતની માતાને પીડા કેવી રીતે થાય ? પર્વ-પ્રવચનમાળા ભગવાનનાં જન્મ-મૃત્યુ કોઈ પણ મનુષ્યસ્ત્રીને કરવાનાં હોતાં નથી. તમામ જન્મ કૃત્યો ૫૬ દિકુમારિકાઓ કરે છે. પછી ઇન્દ્ર, ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય છે, અને ખૂબ ભક્તિભાવથી ભવ્ય મહોત્સવ સાથે ભગવાનને સ્નાન કરાવે છે. ગીત-ગાન અને નૃત્ય કરે છે અને પુનઃ ભગવાનને લાવીને માતાની પાસે મૂકી દે છે. આ સમગ્ર પ્રસંગ સ્નાત્રાભિષેક મહોત્સવમાં અને અંજનશલાકામાં અભિનયની સાથે બતાવવામાં આવે છે. ‘શ્રી કલ્પસૂત્ર’માં વિસ્તારથી આ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. પર્યુષણાપર્વમાં કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં આ સંભળાવવામાં ય આવે છે. તીર્થંકર ભગવંતોનો ઉત્કૃષ્ટ પુણ્યોદય આ રીતે દેવોને, દેવેન્દ્રોને પણ આકર્ષિત કરે છે ! જન્મથી લઈને નિર્વાણ સુધી દેવ-દેવેન્દ્ર તીર્થંકરોની ભક્તિમાં, સેવામાં અને ધર્મતીર્થ-પ્રવર્તનના કાર્યમાં તત્પરતાથી ઉપસ્થિત રહે છે. રાજા સિદ્ધાર્થ પણ રાજકુમારનો ભવ્ય મહોત્સવ ઉજવે છે. ગરીબોને દાન આપે છે. કારાવાસમાં રહેલા કેદીઓને મુક્ત કરે છે. રાજકુમારનું નામ ‘વર્ધમાન' રાખવામાં આવે છે, કારણ કે જ્યારથી ભગવાનનો જીવ ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યો હતો, ત્યારથી સિદ્ઘાર્થના ખજાનામાં વૃદ્ધિ થઈ ગઈ હતી. પ્રજાના અને અન્ય રાજાઓના આદરભાવમાં, પ્રેમભાવમાં વૃદ્ધિ થતી રહી પડી. એટલે રાજપરિવાર સર્વતોમુખી વૃદ્ધિ પામતો હતો. એના માટે પુત્રનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું હતું. વર્ધમાનનો અર્થ થાય છે વધતો...વૃદ્ધિ પામતો ! ભગવાન મહાવીરદેવનું મૂળનામ વર્ધમાન કુમાર હતું. તેઓ ‘વર્ધમાનસ્વામી'ના નામે પણ ધર્મગ્રંથોમાં પ્રસિદ્ધ છે. ‘લોગસ્સસૂત્ર’માં વર્ધમાન (વજ્રમાણ) નામ છે. સિદ્ધાળું-વ્રુદ્ધાળું સુત્ર' માં પણ ‘વર્ધમાન’નામ આવે છે. જો વિ નમુનારો ખિળવવસહસ્ત્ર વજ્રમાળસ્ત્ર' આવે છે ને ? ભગવાનને એક મોટા ભાઈ હતા. તેમનું નામ હતું નંદિવર્ધન. એક મોટી બહેન હતી, તેમનું નામ હતું સુદર્શના I ભગવાનની બાલ્યાવસ્થાની બે મુખ્ય ઘટનાઓ ‘કલ્પસૂત્ર’માં મળે છે. એક છે આમલકી ક્રીડા અને બીજી છે પાઠશાલાગમન. સમવયસ્ક બાળકો સાથે ભગવાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy