SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૦૩ રમે છે. જો કે તેઓ અંદરથી વિરક્ત હોય છે, બહારથી માનવસહજ વ્યવહારની ક્રિયાઓ કરે છે. દેવલોકમાં જ્યારે ઇન્દ્ર તેની સભામાં ભગવાનની ધીરતા, વીરતા અને દૃઢતાની પ્રશંસા કરે છે ત્યારે એક દેવ ઈન્દ્રની પ્રશંસામાં અતિશયોક્તિ જુએ છે. “વર્ધમાન ભલે તીર્થંકર થનાર હોય, છતાં પણ છે તો મનુષ્ય જ ને? શરીર તો ઔદારિક જ છે ને? દેવોની શક્તિની આગળ એ શું વિસાતમાં?દેવ ક્ષત્રિયકુંડ નગરમાં આવે છે. જ્યાં વર્ધમાનકુમાર બીજા છોકરાઓ સાથે રમતા હોય છે, ત્યાં ભયાનક સાપનું રૂપ ધારણ કરીને જાય છે. બીજાં બાળકો તો સાપ જોઈને ડરી ગયા અને દૂર જઈને ઊભા રહ્યા. જ્યારે વર્ધમાનકુમારે સાપને પકડીને દૂર ફેંકી દીધો. છોકરાઓ વર્ધમાનકુમારની નિર્ભયતા જોઈને દિંગ થઈ ગયા. દેવે ફરીથી નવું રૂપ ધારણ કર્યું. છોકરો બનીને તેણે વર્ધમાનકુમારને પોતાના ખભે બેસાડ્યા. પછી તાડના વૃક્ષ જેવો ઊંચો રાક્ષસ બની ગયો! બીજાં બાળકો તો આ દ્રશ્ય જોઈને ભાગી ગયાં, પરંતુ વર્ધમાનકુમાર ડર્યા નહીં. તેમણે દેવ ઉપર એક મુષ્ટિ-પ્રહાર કર્યો કે બસ ! દેવ વેદનાથી બરાડા પાડતો મૂળ રૂપમાં આવી ગયો. વર્ધમાનકુમારના પગે પડી ગયો. ક્ષમા માગવા લાગ્યો, અને પોતાના દેવલોકમાં ચાલ્યો ગયો. તીર્થંકરના શરીરમાં અપાર તાકાત હોય છે. વર્ધમાનકુમાર જ્યારે યૌવનમાં આવ્યા તો માતા-પિતાના આગ્રહથી તેમણે રાજા સમરવીર તેમજ રાણી પદ્માવતીની રાજકુમારી યશોદા (યશોમતી)ની સાથે લગ્ન કર્યા. જો કે તેઓ પોતાના અવધિજ્ઞાનથી જાણતા જ હતા કે તેમને સંસારનાં સુખ ભોગવવાનાં હતાં, કેટલાંક પુણ્યકર્મના ઉદય, જીવાત્મા ઇચ્છતો ન હોય છતાં ભોગવવાં જ પડે છે. તીર્થંકરનો આત્મા વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત જ હોય છે. અનાસક્ત યોગી જ હોય છે તેઓ. છતાં પણ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત સુખભોગ ભોગવવાં જ પડે છે. યશોદા સાથે અનાસક્તિભાવે સંસારસુખ ભોગવતાં સમય પસાર થાય છે. યશોદાએ એક પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું. જ્યારે વર્ધમાનકુમાર ૨૮ વર્ષના થયા તો માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. જેને માટે સંસારમાં રહેતા હતા તે માતા-પિતા જ જ્યારે સ્વર્ગવાસી થયા તો વર્ધમાનકુમારે મોટાભાઈ નંદિવર્ધનની પાસે જઈને ગૃહવાસ ત્યજવાની અનુમતિ માગી. રાજા નંદિવર્ધનને વર્ધમાનકુમાર પ્રત્યે અપાર પ્રેમ હતો. ગૃહત્યાગની વાત સાંભળતાં જ નંદિવર્ધન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કુમારને પોતાની છાતીએ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy