SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા-પ્રવચન (૧) ૧૦૧ ત્રિશલાના ગર્ભમાં રહેલા ભગવાન મતિજ્ઞાની છે, શ્રુતજ્ઞાની છે અને અવધિજ્ઞાની છે. પ્રત્યેક તીર્થંકર ગભવિસ્થામાંથી જ આ પ્રકારે જ્ઞાની હોય છે, બુદ્ધિનો ભંડાર હોય છે. શ્રુતજ્ઞાનના પારગામી હોય છે, અને અવધિજ્ઞાનની દિવ્યવૃષ્ટિ તેમની પાસે હોય છે. ભગવાને વિચાર્યું: ‘મારા હલનચલનથી મારી માતાને કષ્ટ પડતું હશે. એટલા માટે હું સ્થિર થઈ જાઉં. માતાને કષ્ટ ન પડવું જોઈએ.' માતા પ્રત્યે કેવો ભક્તિપૂર્ણ વિચાર કર્યો છે ભગવાને ! જ્યારે ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે આવો વિચાર કર્યો છે ! માતાને કષ્ટ ન પડે એટલા માટે સ્થિર થઈ ગયા! વિશ્વની પ્રજાને આ રીતે ભગવાને માતૃભક્તિ અને માતૃપૂજક બનવાનો ભવ્ય આદર્શ આપ્યો છે. કેવી માતા અને કેવો પુત્ર? ત્રિશલા રાણી ગર્ભસ્થ શિશુને કોઈ પણ પ્રકારે કષ્ટ ન થાય એ રીતે જીવે છે. ગર્ભસ્થ ભગવંત માતાને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય એવી રીતે જીવે છે. પુત્રનો ઉત્કૃષ્ટ પુણ્યોદય થાય છે ત્યારે આવી માતા મળે છે. અને માતાનો પણ ઉત્કૃષ્ટ પુણ્યોદય થાય છે ત્યારે આવો પુત્ર મળે છે. જો કે ગર્ભનું હલનચલન બંધ થઈ જતાં ત્રિશલા રાણીને બહુ વ્યાકુળતા થઈ ગઈ હતી. હે છે તે મે ? પડે છે તે પામે ? ગુણ છે તે પામે ? એટલે કે “શું મારો ગર્ભમરી ગયો? અલિત થઈ ગયો? નષ્ટ થઈ ગયો?' આવી અશુભ શંકાઓથી ત્રિશલા રાણી અતિ વ્યથિત થઈ ગઈ હતી. એક શાશ્વત્ નિયમ છે કે તીર્થંકરની માતાનું પેટ તીર્થંકર ગર્ભસ્થ થયા પછી વધતું નથી. સામાન્ય માતાઓની જેમ તીર્થંકરની માતાનું પેટ વૃદ્ધિ પામતું નથી. એટલા માટે ત્રિશલા રાણીના મનમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ ! થોડાક સમય પછી ભગવંતે અવધિજ્ઞાનથી બહાર જોયું. તો આશ્ચર્ય થયું ! માતા-પિતા અને આખો રાજપરિવાર શોક-સાગરમાં ડૂબેલો હતો. તરત જ તેમણે થોડુંક કંપન કર્યું..હાલ્યા, તો ત્રિશલા માતા હર્ષિત થઈ ગઈ! “મારો ગર્ભ કુશળ છે ! પહેલાં હાલતો ન હતો. હવે હાલે છે !' ભગવાને માતાની મનોદશાનો વિચાર કર્યો: ‘હજુ, જ્યારે માતાએ મારું સુખ પણ જોયું નથી અને આટલો મોહ છે, જ્યારે મારો જન્મ થશે, માતા મારું મુખ જોશે ત્યારે માતાનો મોહ કેટલો પ્રગાઢ થશે? એક ક્ષણ પણ મારો વિરહ એ સહી નહીં શકે. એટલા માટે જ્યાં સુધી મારા માતા-પિતા જીવતાં રહેશે, ત્યાં સુધી હું સંસારવાસનો ત્યાગ નહીં કરું.’ ભગવાને ગર્ભાવસ્થામાં જ આવી પ્રતિજ્ઞા કરી હતી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy