SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ હતા. ઉપદેશ આપતાં આપતાં જ તેઓ વિદેહ-દેહમુક્ત થઈ ગયા હતા. ભગવાને ૪૮ કલાક સુધી જ ઉપદેશ આપ્યો હતો તેના થોડા અંશો આજ પણ ઉપલબ્ધ છે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં એ ઉપદેશ સંકલિત છે. ભગવંતનો આ અંતિમ ઉપદેશ મોક્ષમાર્ગના પથિકો માટે અતિ મહત્ત્વનો છે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૩૬ અધ્યાયો છે. ૩૬ વિષયોનું સરળ, સુબોધ અને વૈરાગ્યપૂર્ણ પ્રતિપાદન છે. આ ૩૬ અધ્યાયોનો સંક્ષિપ્ત પરિચય કાલે અને પરમ દિવસે-બે દિવસમાં આપીશ. આજ પરમોપકારી શાસનપતિ ભગવાનનું જીવનકવન જ કરીશું. પૂર્વ-પ્રવચનમાળા પ્રત્યેક તીર્થંકર ભગવંતનાં પાંચ કલ્યાણક હોય છે પહેલું ચ્યવન કલ્યાણક, બીજું જન્મકલ્યાણક, ત્રીજું દીક્ષાકલ્યાણક, ચોથું કેવળજ્ઞાન કલ્યાણક અને પાંચમું નિશિ કલ્યાણક. જે કલ્યાણ કરે તે કલ્યાણક કહેવાય છે. કલ્યાણનો અર્થ થાય છે સુખ. તીર્થંકરનું જ્યારે ચ્યવન થાય છે ત્યારે ત્રણે ભુવનના સર્વજીવોને ક્ષણ માટે સુખની સંવેદના થાય છે ! એટલે કે તીર્થંકરનું ચ્યવન સમગ્ર જીવસૃષ્ટિને સુખ આપે છે. એટલા માટે ચ્યવનને ‘કલ્યાણક’ કહે છે. એ રીતે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે પણ સમગ્ર જીવસૃષ્ટિને એક ક્ષણ માટે સુખનો અનુભવ થાય છે એટલા માટે જન્મ પણ કલ્યાણક કહેવાય છે. એ રીતે દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક કહેવાય છે. સભામાંથી ઃ આજ-કાલ લોકો જન્મ કલ્યાણક' શબ્દનો પ્રયોગ કરતા નથી ‘જયન્તી’ શબ્દનો પ્રયોગ કરે છે, શું એ ઉચિત છે ? મહારાજશ્રી : ના, તીર્થંકરના જન્મદિનને ‘જન્મકલ્યાણક' જ કહેવું જોઈએ. ‘જયન્તી’ શબ્દ લૌક્કિ છે. તીર્થંકર લોકોત્તર પુરુષ હોય છે. એમની સાથે ‘જયન્તી’ શબ્દ ન જોડવો જોઈએ. આમે ય ‘જયન્તી’ શબ્દ કરતાં ‘કલ્યાણક' શબ્દ વિશેષ ભાવપૂર્ણ અને વિશિષ્ટ અર્થનો ઘોતક છે. સમગ્ર સૃષ્ટિને સુખી કરવાની ભાવના જ તો તીર્થંકરત્વની જનની છે ! સારા વિશ્વનું કલ્યાણ કરનારા તીર્થંકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય અને નિર્વાણ- આ પાંચે પ્રસંગ જીવસૃષ્ટિનું કલ્યાણ કરનારા છે. એટલા માટે આ પાંચે ‘કલ્યાણક’ કહેવાયાં છે. તીર્થંકરોના કલ્યાણકદિન પર્વના દિવસો માનવામાં આવ્યા છે. પતિથિઓની જેમ કલ્યાણક તિથિઓ પણ આરાધ્ય-ઉપાસ્ય માનવામાં આવી છે. શ્રમણ ભગવાન મહાવીરનું દશમા દેવલોકમાંથી અષાઢ શુક્લા ૬ ના દિવસે ચ્યવન થયું હતું. ચૈત્ર શુક્લા તેરસને દિવસ જન્મ થયો હતો. માગશર શુક્લા દશમના દિવસે તેમણે દિક્ષા લીધી હતી. વૈશાખ શક્લા દશમને દિને તેમને કૈવલ્ય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy