SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા -પ્રવચન (૧) ૯૯ પ્રાપ્ત થયું હતું. તેમજ કાર્તિક અમાવાસ્યાને દિને તેમનું નિવણ થયું હતું. આ રીતે આપણા માટે અષાઢ શુક્લા ૬, ચૈત્ર શુક્લા ૧૩, માગશર શુક્લા ૧૦, વૈશાખ શુક્લા ૧૦, અને કાર્તિક અમાવાસ્યાના દિવસો પરમ પવિત્ર, પરમ આરાધ્ય અને ઉપાસ્ય છે. આ દિવસોમાં વિશેષ રૂપે તપશ્ચય તેમજ ભગવંતનું સ્મરણ, દર્શન, પૂજન વગેરે કરવાં જોઈએ. કારણ કે આપણી ઉપર એમનો પરમ ઉપકાર છે. તેમનું ધર્મશાસન આપણે મેળવ્યું છે. આપણે તેમનાં સંતાનો છીએ. પ્રત્યેક જેનને શ્રમણ ભગવાન મહાવીરના જીવનચરિત્રનો ખ્યાલ હોવો જોઈએ. જન્મથી નિવણ સુધીની અદ્ભુત જીવનયાત્રાનો બોધ હોવો જોઈએ. ખૂબ જ રોચક, બોધક અને પ્રેરણાદાયી છે ભગવાનની જીવનકથા. હવે તમને કલ્યાણકોના માધ્યમથી ભગવાનની જીવનકથા સંભળાવું છું. ચ્યવન કલ્યાણકઃ બે શબ્દો છે અવન અને કલ્યાણક. દેવલોકમાં દેવ-દેવીઓના મૃત્યુને અવન કહે છે. તેમનું મૃત્યુ મનુષ્ય અને પશુ-પક્ષીઓ જેવું નથી હોતું. કારણ કે તેમનું શરીર વૈક્રિય પુદ્ગલોનું બનેલું હોય છે. એ શરીરને ન બાળવાની જરૂર હોય છે, ન તો જમીનમાં દાટવાની જરૂર હોય છે. જ્યારે દેવ-દેવીનું આયુષ્ય કર્મ પૂરું થાય છે ત્યારે શરીર સહજતાથી વિખરાઈ જાય છે. એટલે કે શરીરનાં વૈક્રિય પુદ્ગલો પારાની જેમ વિખરાઈ જાય છે, અને આત્માને જ્યાં પેદા થવાનું હોય છે, એટલે કે જે ગતિનું આયુષ્યકર્મ બાંધ્યું હોય છે, એ ગતિમાં ચાલ્યો જાય છે. દેવ યા દેવી મનુષ્યગતિમાં જાય છે અથવા તો પશુ-પક્ષીની યોનિમાં જન્મે છે. દેવ-દેવી પુનઃ દેવદેવી નથી બનતાં, ન તો સીધાં નરકમાં જાય છે. શ્રમણ ભગવાન મહાવીરનો આત્મા પ્રાણત' નામના દશમા દેવલોકમાં દેવરુપે હતો. તેમનું આયુષ્ય પૂર્ણ થયું કે તેમનું ચ્યવન થયું. તેમનું વૈક્રિય શરીર વિખરાઈ ગયું. અને આત્મા આ ભારતવર્ષમાં મગધ દેશમાં (બિહારમાં) બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં અવતરિત થયો. એટલે કે દેવાનંદાના પેટમાં ગર્ભરૂપે ભગવાન ઉત્પન્ન થયા. તે વખતે દેવાનંદાએ ચૌદ સુંદર સ્વપ્નો જોયાં. આ ચૌદ સ્વપ્નોની હારમાળા જોઈ લો. ૧. સિંહ ૨. હાથી. ૩. વૃષભ. ૪. લક્ષ્મીદેવી. ૫. પુષ્પમાળા. ૬. ચંદ્ર. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy