SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દિપાલિકા-પ્રવચન (૧) ૯૭ रक्षन्तु स्खलितोपसर्गगलित-प्रौढप्रतिज्ञाविधौ, याति स्वाश्रयमर्जितांहसि सूरे निःश्वस्य संचारिता । आजानुक्षितिमध्य-मग्नवपुषः चक्राभिघातव्यथामूर्ध्वान्ते करुणा-भराग्चितपूटा वीरस्य वो दृष्टयः ॥ મહાકવિ ધનપાલ કહે છેઃ “શ્રમણ ભગવાન મહાવીરની અપાર કરુણાસભર આંખો અમારી રક્ષા કરો !” પ્રસંગ હતો સંગમદેવના ઉપસર્ગનો. ભગવાન મહાવીરની ધીરતાની, વીરતાની અને દૃઢતાની પ્રશંસા દેવલોકમાં દેવરાજ ઈન્દ્ર કરી. દેવસભામાં ઉપસ્થિત સર્વે દેવો પ્રશંસા સાંભળીને આનંદિત થયા, પરંતુ મિથ્યાવૃષ્ટિ સંગમદેવ પ્રસન્ન ન થયો. તે ઊભો થયો અને બોલ્યોઃ 'હે દેવરાજ, આપ મહાવીરના ભક્ત છો, એટલા માટે મહાવીરની આટલી પ્રશંસા કરો છો ! મને પ્રશંસા વાસ્તવિક લાગતી નથી. મહાવીર મેરુવતુ નિશ્ચલ ન હોઈ શકે, કારણ કે તેઓ મનુષ્ય છે. તેમનું શરીર -ઔદારિક છે; હું તેમને વિચલિત કરી શકું છું. તેમનું મનોબળ તોડી શકું છું. હું જાઉં છું...અને પ્રતિજ્ઞા કરું છું કે મહાવીરને વિચલિત કરીને પાછો આવીશ.' સંગમદેવે છ છ મહિના સુધી મહાવીરને કષ્ટ આપ્યાં પરંતુ મહાવીર નિશ્ચલ રહ્યા. જ્યારે સંગમ થાકી ગયો કષ્ટ આપીને, તો તેણે ભગવાન ઉપર ‘કાલચક્ર' માર્યું. ભગવાન ઘૂંટણો સુધી જમીનમાં ધસી ગયા. પરંતુ તેમનું મનોબળ ન તૂટ્યું. તેમના ધર્મધ્યાનની ધારા અખ્ખલિત રહી. સંગમ હારી ગયો. તેણે કરેલી પ્રતિજ્ઞાનું પાલન ન કરી શક્યો. તેનું મુખ પ્લાન થઈ ગયું. ગરમ નિઃશ્વાસ નાખતો દેવલોક તરફ જવા લાગ્યો...એ સમયે કરુણાસાગર ભગવાન મહાવીરની આંખો કરુણાનાં આંસુઓથી ભરાઈ ગઈ..અરેરે બીચારો આ સંગમ, મારું નિમિત્ત પાણીને નિકાચિત પાપકર્મો બાંધીને ગયો...દુર્ગતિનાં દુઃખોમાં ડૂબી જશે.' મહાકવિ ધનપાલને ભગવાનની એ સમયની કરુણાભરી આંખો આકર્ષી ગઈ અને “એ આંખો અમારી રક્ષા કરો.' એવી એમને પ્રાર્થના કરી. પચીસસો વર્ષ પૂર્વે મહાવીરભગવાન કાર્તિક અમાવસ્યા (ગુજરાતી આસો મહિનાની અમાસ) ના દિવસે મગધ દેશમાં પાવાપુરીમાં નિવણ પામ્યા હતા. એટલા માટે પ્રતિવર્ષ કાર્તિક અમાસનો દિવસ આપણા માટે નિર્વાણ કલ્યાણકના રૂપમાં આરાધ્ય, સ્મરણીય, અને પ્રેરણાસ્ત્રોત બને છે. આજે તેરશ છે. આજના દિવસે ભગવાને અંતિમ આહાર ગ્રહણ કર્યો હતો. આજની મધ્યરાત્રિથી તેમણે અંતિમ ઉપદેશ આપવો શરૂ કર્યો હતો. નિરંતર ૪૮ કલાક (૧૬ પ્રહર) સુધી એટલે કે તેમનું નિવણિ થયું ત્યાં સુધી ઉપદેશ આપતા રહ્યા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy