SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ પર્વ-પ્રવચનમાળા. અબુલફજલને ત્યાં મૂળ નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. જ્યોતિષીએ કહ્યું: “આ બાળકી ને જીવતી રહેશે તો તમારા ઘરમાં મોટો ઉત્પાત થશે, એટલા માટે તેને પાણીમાં વહાવી દો.” અબુલફજલને ચિંતા થઈ તે ભાનુચંદ્રજીની પાસે ગયો, જ્યોતિષીની આખી વાત કરી. ભાનુચંદ્રજીએ કહ્યું: “આવું કશું કરવું નથી. છોકરીને પાણીમાં ડૂબાડી દેવાથી સ્ત્રીહત્યાનું મોટું પાપ લાગે છે. વિજ્ઞશાન્તિ માટે શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની સામે બુહ અષ્ટોત્તરીસ્નાત્ર' ભણાવો. વિજ્ઞશાન્તિ થઈ જશે. અબુલફજલને શ્રી ભાનુચંદ્રજીના વચનોમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. તેણે અષ્ટોત્તરી સ્નાત્ર-મહાપૂજાનું આયોજન કર્યું. એક લાખ રૂપિયા ખચ્ય. છોકરી જીવતી રહી અને પરિવારને કોઈ નુકસાન ન થયું. આવી અનેક ચમત્કારિક ઘટનાઓથી અકબર ખૂબ પ્રભાવિત થયો હતો. તેણે જગદ્ગુરુ આચાર્યદિવને ગુજરાત વિનંતી-પત્ર લખ્યો કે શ્રી ભાનુચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાની કૃપા કરો. પત્ર મળતાં આચાર્યદવે ઉપાધ્યાય-પદનો વાસક્ષેપ મોકલ્યો અને અનુમતિ આપી. અકબરે મોટો મહોત્સવ કર્યો અને ભાનુચંદ્રજીને ઉપાધ્યાય-પદ પ્રદાન કર્યું. આ પ્રસંગ ઉપર અબુલફજલે ૨૫ ઘોડાઓનું દાન આપ્યું. અને ૨૫ હજાર રૂપિયાનો સદ્વ્ય ય કર્યો. આચાર્યશ્રી સેનસૂરિજી: કેટલાંક વર્ષ અકબર પાસે રહીને શ્રી ભાનુચંદ્રજી ઉપાધ્યાય ગુજરાત ચાલ્યા ગયા. ગુજરાતમાંથી આચાર્યદિવના પટ્ટઘર શ્રી સેનસૂરીશ્વરજી દિલ્હી પધાર્યા. અકબરે તેમની પાસેથી પણ ધર્મોપદેશ સાંભળ્યો. અને ખૂબ પ્રભાવિત થયો. આચાર્યદિને દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. અકબરે રાજદરબારમાં આચાર્યદિવને સૂરિસાઈની ઉપાધિ આપી. ચાતુર્માસ પછી અકબરને લાહોર જવાનું હતું. આચાર્યદવ પણ લાહોર પધાયાં. અકબરને ધમપદેશ સાંભળવાનું વ્યસન થઈ ગયું હતું! દયાધર્મ એના હૃદયમાં વસી ગયો હતો. આઈને-અકબરી' નામના ગ્રંથમાં અબુલફજલ લખે છેઃ “અકબર કહેતા કતા કે મારું શરીર એટલું મોટું હોત કે જેથી માંસાહારી લોકો એકમાત્ર મારા શરીરને ખાતાં રહેત, કે જેને લીધે બીજા જીવોની હિંસા ન કરત. તો અસંખ્ય જીવોને કેવું સુખ મળત?” આ રીતે અકબર જૈનધર્મથી પરિચિત થયો હતો, પ્રભાવિત થયો હતો. એના પ્રામાણિક ઉલ્લેખો મળે છે. અકબરને દયાવાન બનાવીને આખા ભારતમાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy