SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વર્ગારોહણ - દિન ૧ બાદશાહને દરરોજ ધર્મોપદેશ આપવો ! એટલા માટે તેઓ ઉગ્ર વિહાર કરીને લાહોર ગયા. ત્યાં અકબર દરરોજ ઉપાધ્યાયજી પાસેથી ધર્મશ્રવણ કરતો હતો. બકરી ઈદનો દિવસ આવ્યો, આગળના જ દિવસે ઉપાધ્યાયજીએ અકબરને કહ્યું : ‘હું આજે અહીંથી વિહાર કરવા ઇચ્છું છું.' અચાનક વિહારની વાત સાંભળીને અકબર દ્વિધામાં પડી ગયો. તેણે પૂછ્યું : ‘કેમ ?’ ‘કાલે ઈદ છે; કરોડો પશુઓની કાલે હિંસા થશે...એવી સ્થિતિમાં અહીં રહેવાથી મારા હૃદયને ખૂબ દુઃખ થશે. એટલા માટે મારે અહીં ન રહેવું જોઈએ.’ : અકબર ગંભીર વિચારમાં ડૂબી ગયો. ઉપાધ્યાયજીએ એ સમયે અકબરને ‘કુરાને શરીફ’ ગ્રંથની આજ્ઞા બતાવી કે ઃ રોટલી તથા ભાજી (પત્તીનું શાક)થી રોજા કબૂલ કરવાં જોઈએ.' અકબરે તરત જ લાહોરમાં જાહેર કરાવ્યું કે ઃ ‘કાલે ઈદના દિવસે કોઈ પણ જીવની હિંસા નિષિદ્ધ છે.’ આખા લાહોરમાં ઈદના દિવસે એક પણ જીવની હિંસા ન થઈ. : ભાનુચંદ્રજી ઉપાધ્યાય : શાન્તિચંદ્રજી ઉપાધ્યાયને પાછળથી આચાર્યદેવે ગુજરાત બોલાવ્યા અને ભાનુચંદ્રજી નામના વિદ્વાન મુનિરાજને તેમના શિષ્ય સિદ્ધિચંદ્રજીની સાથે દિલ્હી મોકલ્યા. ભાનુચંદ્રજીને ‘વરુણદેવ'ની સહાયતા હતી. દૈવી સહાયતાથી તેઓ અનેક ચમત્કારો કરી શકતા હતા. તમે જાણો જ છો કે દુનિયા હમેશાં ચમત્કારના ચરણોમાં ઝૂકતી આવી છે. ભાનુચંદ્રજીએ ચમત્કારોથી અકબરને ખૂબ જ પ્રભાવિત કર્યો. એવા તો અનેક ચમત્કારો અકબરને ભાનુચંદ્રજીએ બતાવ્યા હતા; હું તમને સંક્ષેપમાં બે ઘટનાઓ સંભળાવું છું. એક દિવસ અકબરને અસહ્ય શિરદર્દ થયું. વૈદ્ય, હકીમોના ઉપાયો નિષ્ફળ ગયા. અકબરે શ્રી ભાનુચંદ્રજીને બોલાવી લાવવા કર્યું. ભાનુચંદ્રજી પધાર્યા. અકબરના પલંગ પાસે કાષ્ઠાસન ઉપર જેવા બેઠા કે તરત જ અકબરે તેમનો હાથ પકડીને પોતાના મસ્તકે મૂકી દીધો. ઉપાધ્યાયજીએ કહ્યું ઃ ‘તમે ચિંતા ન કરો હમણાં જ આપને આરામ થઈ જશે.’ અને અલ્પ ક્ષણોમાં જ અકબરને આરામ થઈ ગયો. આખા રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. ઉમરાવોએ એ નિમિત્તે ૫૦૦ ગાયો કુરબાની માટે અકત્ર કરી. જ્યારે અકબરને ખબર પડી તો તે ક્રોધમાં આગ જેવો થઈ ગયો, અને ગાયોને મુક્ત કરાવી દીધી. હવે બીજી ઘટના સાંભળો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy