SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ-પ્રવચનમાળા આચાર્યદેવે વિ.સં. ૧૬૪૦-૧૬૪૧ નાં ચાતુર્માસ દિલ્હી, ફત્તેહપુર સિક્રીમાં કર્યાં. વિ.સં. ૧૬૪૨નું ચાતુર્માસ અભિરામાબાદ (ફ્તેહપુર સિક્રીથી ૧૦ માઈલ દૂર) માં કર્યું. જે સમયે અભિરામાબાદનું ચાતુર્માસ નક્કી થયું તો અકબરે કહ્યું : ‘ગુરુદેવ, આપ અભિરામાબાદ પધારશો તો મને દયાધર્મનો ઉપદેશ કોણ આપશે ?’ ૦ આચાર્યદેવે ઉપાધ્યાયશ્રી શાન્તિચંદ્રજીનું ચાતુર્માસ દિલ્હીમાં નક્કી કર્યું. શાન્તિચંદ્રજીમાં અપૂર્વ વ્યાખ્યાનશક્તિ હતી. તેઓ મધુરભાષી હતા. ૧૦૮ અવધાન પ્રયોગ કરનારા હતા. અકબરને ઉપદેશ આપવા માટે તેમણે ‘કૃપારસકોશ’ નામનો ૧૨૮ શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ રચ્યો હતો. આ જ ગ્રંથ તેઓ અકબરને સંભળાવતા રહ્યા. દયાધર્મનું વિવેચન કરીને અકબરનું હૃદય કરુણાથી પૂર્ણતયા ભરી દીધું. હમણાં જ અકબર વિશે એક ઘટના વાંચવામાં આવી છે - લખનૌની પાસે એક શહેરની બહાર બાદશાહ અકબરનો આઠ દિવસનો મુકામ હતો. આઠમો દિવસ હતો. પડાવ ઉપાડી લેવામાં આવતો હતો; અકબર પોતાના તંબુની બહાર ઊભો હતો. તેણે શાહી ડેરા ઉપર રહેલા શાહીધ્વજને જોયો. ધ્વજ હવામાં ઊડતો ન હતો. તેણે સેવકને બોલાવીને કહ્યું ઃ ‘જરા જો તો આ ધ્વજ બરાબર લહેરાતો નથી શું બાબત છે ?” સેવકે જઈને કહ્યું ઃ ‘જહાંપનાહ, જે લાકડી ઉપર ધ્વજ બાંધવામાં આવ્યો છે, તે લાકડી ઉપર પક્ષીએ માળો બનાવ્યો છે. એ માળાને કા૨ણે ધ્વજ બરાબર ફરકતો નથી.' આ સાંભળીને બાદશાહ વિચારમાં ડૂબી ગયો. મનમાં કંઈક નિર્ણય કર્યો અને ડેરા ઉઠાવનારાઓને બોલાવીને કહ્યું : ‘અત્યારે ડેરો ઉપાડવાનો નથી.’ ‘શું અત્યારે અહીં રોકાવાનું છે ?’ ‘ના, આપણે તો અત્યારે દિલ્હી તરફ રવાના થઈશું, પરંતુ ધ્વજની લાકડી ઉ૫૨ પક્ષીએ જે માળો બનાવ્યો છે, તેમાં પક્ષિણી ઈંડા મૂકશે, ઇંડામાંથી બચ્ચાં પેદા થશે, અને એ બચ્ચાં ઊડતાં નહીં શીખે ત્યાં સુધી મારો ડેરો (તંબૂ) અહીં જ રહેશે.’ પક્ષી અને એનાં ભાવિ બચ્ચાંનો ખ્યાલ રાખનાર બાદશાહ અકબરની દયાભાવનાનું આ કેવું જ્વલંત ઉદાહરણ છે ? દરરોજ પ∞ પક્ષીઓની જીભ ખાનારા બાદશાહના હૃદયનું કેવું અદ્ભુત પરિવર્તન ? આ આખો ય પ્રભાવ હતો આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરીશ્વરજીનો ! બીજી એક ઘટના છે લાહોરની. અકબરને કંઈક વધારે દિવસો લાહોરમાં રહેવાનું હતું. તેણે શ્રી શાન્તિચંદ્ર ઉપાધ્યાયને વાત કરી. તેમણે લાહોર તરફ વિહાર કર્યો ! ગુરુદેવની આજ્ઞા છે; Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy