SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિ - સ્વગરિોહણ - દિન પર્યુષણાપર્વના દિવસોમાં અમારિ-પ્રવર્તન કરાવનારા જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિજી હતા એ નિર્વિવાદ સિદ્ધ છે. સ્વર્ગવાસઃ જે સમયે શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ લાહોરમાં હતા ત્યારે જગદ્ગુરુ આચાર્યદિવ ઊના (સૌરાષ્ટ્ર)માં ચાતુર્માસ હતા. ચાતુર્માસના પ્રારંભથી જ આચાર્યદિવનું સ્વાચ્ય અનુકૂળ ન હતું. શરીર પર સોજા આવી ગયા હતા. એક નહીં, અનેક રોગ પેદા થઈ ગયા હતા. શ્રાવકોએ ઔષધોપચાર કરવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ આચાર્યદિને મના કરી દીધી. તેઓ સમતાથી રોગની વેદના સહન કરતા હતા. શ્રાવક-શ્રાવિકાસંઘ ખૂબ વ્યથિત થયો. શ્રાવકોએ ઉપવાસ શરૂ કરી દીધા. શ્રાવિકાઓએ બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું. આખા ગામમાં હાહાકાર મચી ગયો. જ્યાં સુધી ગુરુદેવ ઔષધ ગ્રહણ નહીં કરે, ત્યાં સુધી અમે ઉપવાસ કરીશું.' શ્રાવકોએ ઘોષિત કરી દીધું. જ્યાં સુધી ગુરુદેવ ઔષધ નહીં લે ત્યાં સુધી અમે બાળકોને ધવડાવીશું નહીં.” શ્રાવિકાઓએ ઘોષણા કરી દીધી. મુનિરાજશ્રી સોમવિજયજીએ આચાર્યદિવને વિનંતી કરી, ઔષધ ગ્રહણ કરવા ખૂબ આગ્રહ કર્યો. સંઘની ભાવના અંગે જાણ કરી ત્યારે આચાર્યશ્રીએ ઔષધ ગ્રહણ કર્યું. ઔષધ લેવા છતાં પણ સ્વાથ્ય સુધરતું ન હતું. એક દિવસે તેમણે તેમના પટ્ટધર આચાર્યશ્રી સેનસૂરિજીને યાદ કર્યા. “સેનસૂરિજીને બોલાવવા લાહોર કોણ જશે ?” એ જમાનામાં આજની જેમ કોઈ ટપાલવ્યવસ્થા ન હતી. તાર-ટેલિફોન ન હતા. લાહોર સમાચાર કોની સાથે મોકલવા? મુનિરાજ ધનવિજયજી લાહોર જવા તૈયાર થઈ ગયા. તેમણે તરત જ વિહાર પણ કરી દીધો. સભામાંથીઃ ચાતુર્માસમાં વિહાર થઈ શકે? મહારાજશ્રી વિશેષ કારણ ઉપસ્થિત થાય તો ગીતાર્થ મુનિરાજ વિહાર કરી શકે છે. આ બાજુ પર્યુષણાપર્વ આવી ગયાં. આચાર્યદવે સ્વયં “કલ્પસૂત્ર'નાં વ્યાખ્યાન આપ્યાં. વ્યાખ્યાન આપવામાં પરિશ્રમ તો થતો જ હતો. આચાર્યદેવનું સ્વાથ્ય વધારે બગડી ગયું. પર્યુષણાપર્વની આરાધના નિર્વિઘ્ન પૂર્ણ થઈ પરંતુ ભાદરવા સુદ ૧૦ (વિ.સં. ૧પર) ની રાતે જ્યારે વેદના વધી ગઈ તો આચાર્યદિવે વિમલહર્ષ ઉપાધ્યાય વગેરે મુનિવરોને પોતાની પાસે બોલાવ્યા. સર્વેને અંતિમ ઉપદેશ આપતાં કહ્યું: “મહાનુભાવો, સંયમધર્મની આરાધનામાં પ્રમાદ ન કરતા. પરસ્પર મૈત્રીભાવ જાળવી રાખજો. ગ્લાન સાધુઓની સેવા કરજો. સંઘનું યોગક્ષેમ કરજો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy