SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષો રાજા થશે, ઉત્તમનો આચાર નીચ પાલશે, અને નીચ લોકોનો આચાર ઉત્તમ લોકો પાલશે, ઉત્તમ જાતિના લોકો નિર્ધન અને દુઃખી થશે તથા નીચ લોકો ધનાઢ્ય થશે, રાજા દુષ્ટ થશે, દેવતા દેખાવ આપશે નહીં, જાતિસ્મરણજ્ઞાન કોઈને ઉપજશેજ નહીં, નીચ લોકોમાં બલ બહુ થશે, લોક સર્વ કૃતઘ્ની અને પરનું ભૂંડું વાંછનારા થશે, મતલબીયા થશે, પુણ્યકાર્યમાં પ્રમાદી થશે, પાપ કરવામાં ઉદ્યમી થશે, તેમજ લોભી તથા જૂઠા અભિમાનના કરનાર, ઠગાઈ કરવામાં ચતુર અને ધૂર્તવિદ્યામાં કુશલ તથા પરના દ્રોહ કરનારા એવા ઘણા લોકો થશે, તથા જે કોઈ ધર્મ કરશે તે પણ અભિમાને યુક્ત થકા કરશે, એવા લોક થશે. ઘણા દારિદ્રી થશે તેમ રાજાઓ પણ અનેક પ્રકારના નવા નવા કર નાખનારા અન્યાયી, વિના કારણે દંડ કનારા, દેરાના પાડનારા, દેવદ્રવ્ય ભક્ષણ કરનારા થશે, તથા યતિઓ પણ દેવદ્રવ્ય લેનારા, લોભને વશે જ્ઞાનદ્રવ્ય ભક્ષણ કરનારા, શિખામણ આપનારની સાથે કદાગ્રહ કરનારા, એવા આચારભ્રષ્ટ થશે, તથા માતાપિતા પોતાની દીકરીને વેચીને પેટ ભરશે, દીકરીનું ધન લઈ આજીવિકા ચલાવશે, એવા નિર્દયી થશે તથા વાણીયા ફૂડ કપટના કરનારા, યતિઓનું અને ચૈત્યોનું દ્રવ્ય ભક્ષણ કરનારા થશે. શાસ્ત્રના રહસ્યના અજાણ થશે. એકજ કલ્પસૂત્ર માત્ર સાંભળ્યું કે સર્વ સમજી ગયા એટલુંજ જિનધર્મનું રહસ્ય તેઓમાં દેખાશે. તેમજ ઘણા મતપક્ષી થશે, પોતાનો હઠ લીધેલો મૂકશે નહીં. જૈનધર્મનું તો તેમાં નામ માત્ર રહેશે, દુકાલ ઘણા પડશે, રાજાઓના ઝઘડા ઘણાં થશે, ઘણા દેશ શૂન્ય થઈ જશે, લોક નિર્ધન થશે, નીચ કુલના રાજા તે શ્રીજિનધર્મને મૂકી બીજા ધર્મના માનનારા ઘણું કરીને નરકગામી થશે. એમ પાંચમા આરામાં ઘણા લોક દુઃખી થશે. - વલી ઘણા અગ્નિના ઉપદ્રવ, ઘણા ચોરના ઉપદ્રવ, ઘણા લેણદારના ઉપદ્રવ થશે. તથા ઉજ્વલ મંત્ર, યંત્ર, ઔષધના પ્રભાવ મંદ પડી જશે અને મલીન મંત્રાદિકનું પ્રબલ પણું થશે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનો ક્ષય થશે. શિષ્ય સર્વ અવિનીત થશે. પુત્ર પોતાનાં માતપિતાની સેવા કરશે નહીં. ઘણા વ્યાપારી કૂડા તોલ. કૂડાં માપ રાખશે. ધર્મઠગાઈ બહુ થશે, સત્યપણું કોઇક રાખશે, દશ પ્રકારનો યતિધર્મ કોઈ વિરલા પાલશે, પ્રધાન લાંચના લેનારા થશે, સેવક સ્વામીદ્રોહી થશે, પોતાના સ્વામીની ગણના પણ નહીં કરશે. કાલી રાત્રિ સમાન નિર્દયી સાસુ થશે અને સાપણ સરખી ક્રોધી, વિનય રહિત વહૂ થશે. વલી નિર્લજ્જ કટાક્ષપેક્ષણાદિકે કરી કુલીન સ્ત્રીઓ પણ વેશ્યાનાં આચરણ શીખશે, સ્વેચ્છાએ શ્રી દિવાલીકલ્પ ८४ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy