SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલશે, પુત્ર પિતાની શીખ માનશે નહીં, શિષ્ય પોતાના ગુરુની શીખ માનશે નહીં. અકાલે શિયાળામાં ઉનાળામાં મેઘવૃષ્ટિ થશે, પણ કાલે મેઘ નહીં વરસે. દુર્જન ધૂર્ત લોક સુખી થશે. ચોરના ભય, મરકીના ભય, પારકા કટકના ભય ઘણા થશે. દુષ્ટ જીવ જે ટીડ પ્રમુખ તેઓના ઉપદ્રવ થશે. સંધ્યાત્યાગી, અનાચારી, અર્થના લોભી એવા બ્રાહ્મણ થશે. તથા ઔષધી, ધૃત, સાકર, ફૂલ પ્રમુખના રસ, ગંધ સર્વ હીન થઈ જશે. મનુષ્યોનાં બલ, બુદ્ધિ, આવું પ્રમુખ ઘટી જશે. આચાર્ય શિષ્યને વાચના આપશે નહીં, તથા કલહકારી અસમાધિકારી ઉપદ્રવકારી અસુખકારી અનિવૃત્તિકારી એવા સાધુ દશ ક્ષેત્રને વિષે થશે, મંત્ર તંત્રાદિકને વિષે ઉદ્ધત થશે, સાધુનો વ્યવહાર મૂકી દેશે, આગમના અજાણ થકા વિપરીત અર્થ પ્રકાશશે. જેમ રાજા જોરાવરીથી કણબી પાસેથી વઢીને ભાગ લીએ, તેની પેઠે અન્ન, વસ્ત્ર, પાત્ર, વસ્તી પ્રમુખ શ્રાવકોની પાસે જોરાવરીથી કજીયા કરી લેશે, પોતાની સ્તુતિ કરી પારકી નિંદા કરતાં સ્વકલ્પિત સમાચારી થાપી મૂર્ખ લોકોને મોહ પમાડશે, મિથ્યાત્વી લોક બલવંત અને સમકિતી અલ્પબલી થશે. વલી હે ગૌતમ ! મારા નિર્વાણથી ૧૬૫૯ વર્ષ ગયે થકે ચૌલુક્ય વંશમાં કુમારપાલ નામે મોટો રાજા થશે. તે જૈનધર્મનો પાલનારો થશે, અઢાર દેશોમાં તેની આજ્ઞા પ્રવર્તશે. ઉત્તર દિશાએ ગંગાનદી સુધી, પૂર્વ દિશાએ વિંધ્યાચલ પર્વત સુધી, દક્ષિણ દિશાએ સમુદ્ર પર્યત, અને પશ્ચિમ દિશે સમુદ્રના કોણ સુધી એટલી હદ સુધીમાં જૈનધર્મ પ્રવર્તાવશે. એ રાજાના અગીયારસો હાથી, દશ હજાર રથ, અગીયાર લાખ ઘોડા, અઢાર લાખ સુભટ, એટલી સેના થશે. શ્રીમુનિચંદ્રસૂરિના કુલમાં શ્રી હેમચંદ્ર નામે આચાર્ય તેમની પાસેથી એ રાજા શ્રાવકનાં વ્રત લેશે. તેને સમકિત સહિત પાલશે, ઘણાં જિનચૈત્ય કરાવશે, દેવપૂજા તથા ગુરુભક્તિ કયા વિના ભોજન કરશે નહીં. ગામોગામ દેરાસર કરાવશે. એકદા હેમચંદ્રસૂરિના મુખથી જીવીતસ્વામીની મૂર્તિનું વર્ણન સાંભલીને ધૂલિકોટને ખણાવી, તેમાંથી પ્રતિમા પ્રગટ કરાવી, તેને શ્રીપાટણમાં લાવીને દેરાસરમાં સ્થાપન કરશે, અને સાક્ષાત્ શ્રીવીર ભગવાન છે, એવું જાણીને તે પ્રતિમાની નિરંતર પૂજા કરશે, અને જેમ ઉદાયિ રાજાએ પૂજામાં ગામ આપ્યાં છે, તેમ એ રાજા પણ ગામ આપશે. એવો એ રાજા સ્વદારાસંતોષી, દાતાર, શૂરવીર થશે. વલી જો મનથી પણ વ્રતભંગનો દોષ લાગ્યો જાણશે તો તે ઉપવાસ કરશે, તથા કારણ વિના માર એવો શબ્દ જો મુખથી બોલાઈ જશે તો તે ઉપવાસ કરશે, અપુત્રીયાનું ધન લેવાનો ત્યાગ કરશે, અઢાર દેશમાં શ્રી દિવાલીકલ્પ ૮૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy