SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અમારીનો પડહ વજડાવશે, કોઈ જીવ મારે નહીં એવું કરશે. ચોમાસાના દિવસોમાં સેના ન ચઢાવવી, ઘોડા પ્રમુખને પણ વસ્ત્રથી ગલીને છાપું પાણી પીવરાવવું, એવી રીતનો જિનધર્મ પાળવામાં દઢ થશે, શ્રીજિનશાસનની ઉન્નતિ કરશે. તથા હે ગૌતમ્ ! વિક્રમ સંવત ૧૧૦૦ને વર્ષે શ્રીજિનદત્તસૂરિ પ્રમુખ તથા શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિના કર્તા થશે. એ આચાર્ય પંચાંગીમાં જેવા અર્થ હશે, તેવાજ અર્થ લખશે, પણ પોતાના ગચ્છનું મમત્વ રાખશે નહીં. જિહાં સંદેહ થશે તિહાં કેવલી ભગવાન્ જાણે એમ લખશે, એવા થશે. તથા મારા નિર્વાણ પછી નવસે ને એંશી વર્ષ પછી સિદ્ધાંત પુસ્તકારૂઢ થશે. તેના અર્થ કરનારા મહા ભાગ્યવાન્ આચાર્યો થશે. એવામાં વિલી કુમારપાલ રાજાને પાટે રાજા દુષ્ટ થશે. તે દેરાસરો પડાવી નાખશે, તેનું રાજ્ય યવનલોકો લઈ લેશે. પછી વિક્રમ સંવત્ ૧૫૦૦ના સૈકામાં શ્રીઆનંદહેમ-વિમલસૂરિ ક્રિયાનો ઉદ્ધાર કરશે. તેમની શિષ્ય પરંપરામાં શ્રીહીરવિજયસૂરિ થશે, જે દિલ્હીના રાજા અકબર બાદશાહને પ્રતિબોધી હિંસા કરવી બંધ કરાવશે. એ વાતો નાના મોટા જૂદા જૂદા ચાર પાંચ દિવાલીકલ્પ જોઈને તેમાંથી લખેલી છે. હવે વલી ભગવાન કહે છે કે હે ગૌતમ્ ! પાંચમા આરામાં ભેખધારી લિંગીઓ વિપરીત શ્રદ્ધાવાલા ઘણા થશે, તે કલહ કરનારા, માંહોમાંહે લડાઈ કરનારા, અસમાધિકારક, અશાતાના કરનારા, લોકોમાં સાધુ કહેવરાવતા થકા મંત્ર, તંત્ર, ઔષધોપચાર કરનારા થશે, સૂત્રના પરમાર્થ ભૂલી જશે. ધનના લોભી લાલચી, વ્યાપારના કરનારા, ઇન્દ્રિયોના વિષય ભોગવનારા, ઉપકરણ જે વસ્ત્ર પાત્રાદિક. તેનું મમત્વ કરનારા, વસ્ત્ર પાત્રાદિકોનો સંગ્રહ કરી તે પાત્રાદિકોને ગૃહસ્થને ઘેર પોતાનાં થકાં કરી રાખનારા, ઉપાસરાને અર્થે કજીયા કરનારા એવા મઠવાસી જેવા ઘણા થશે, અને શુદ્ધ પ્રરુપક શુદ્ધ મુનિ તો કોઈ વિરલાજ થશે. માટે ઘણા મોડા અને થોડા સાધુ થશે. તથા સમકિતી જીવ નિર્મલ થશે, અને મિથ્યાત્વી રાજાનું જોર થશે, ક્ષત્રી અલ્પ બલવંત થશે. વલી મારા નિર્વાણથી કેટલેક કાલે કલંકી રાજા થશે, તેનો સંબંધ આ પ્રમાણે છે કે કોઈ મગધસેન નામે નીચ ચાંડાલને ઘેર યશોદા નામે બ્રાહ્મણી તેની કૂખને વિષે તેર માસ પર્યત ગર્ભમાં રહીને ચૈત્ર સુદિ આઠમના દિવસે જયશ્રી નામે મકરલગ્નમાં ગુરુ મકરનો, તથા રાહુ, બુધ, શુક્ર, અને સૂર્ય, એ ચાર ગ્રહ મેષના શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy