SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે સ્થાનકે, તથા વૃષનો મંગલ, મિથુનનો શનિ, કર્કનો ચંદ્રમા, દશમે તુલા રાશિનો કેતુ, એ અવસરમાં ષષ્ઠ નવાંશે, મંગળવારે, અશ્લેષા નક્ષત્રને પહેલે પાયે, પાટલીપુર, પટ્ટણમાં જન્મશે. તેનાં એક કલંકી, બીજું રુદ્ર, ત્રીજું ચતુર્મુખ અને ચોથું કંટકી એ ચાર નામ પડશે. ત્રણ હાથનું ઉંચુ શરીર, માથાના કેશ પીલા, માંજરી આંખો, તીખો સ્વર, પીઠ ઉપર લાંછન, વિદ્યાવંત, ધૂર્ત, દીર્ઘ હૃદય, નિર્લજજ, મહા નિર્ગુણી, નિર્દયી એવો થશે, તેના જન્મસમયે ઉપદ્રવ થશે, તેને પાંચમે વર્ષે પેટપીડા થશે, સાતમે વર્ષે અગ્નિની આપદા થશે, દશમે વર્ષે ધનપ્રાપ્તિ થશે, અઢારમે વર્ષે રાજ્યાભિષેક થશે. અદત્ત નામે તેને પોતાનો ચડવાનો ઘોડો જાણવો. દુર્વાશા નામે ભાલું હાથમાં ધરશે, મૃગાંક નામે મસ્તક ઉપર મુકુટ પહેરશે. દૈત્યસૂદન ખગ, સૂર્ય ચંદ્ર નામે બે પગનાં બે તલીયાં, 2લોક્યસૂદન તેને વસવાના ઘરનું નામ જાણવું, તેની પાસે કોટાકોટિ દ્રવ્ય થશે. તે રાજા વિક્રમ સંવત્સર મટાડીને પોતાનો નવો સંવત્સર થાપશે. જે વારે સાડીવીશ વર્ષનો થશે તે વારે આબુના રાજાની પુત્રી પરણશે. તેની સાથે ભોગ ભોગવતાં તેને મહા પરાક્રમી ચાર પુત્ર થશે. તેનાં નામ એક દત્ત, બીજો વિજય, ત્રીજો મુંજ અને ચોથો અપરાજિત, એ ચાર જાણવાં. એ કલંકીની રાજધાની પાટલીપુર નગરે થશે. તે વારે તે નગરનું નામ પણ કલંકીપુર પડશે. તથા દત્તની રાજધાની દત્તપુરમાં થશે, અને વિજયની રાજધાની રાજગૃહીમાં થશે. તેથી તે નગરીનું નામ વિજયપુર એવું થપાશે. તથા મુંજ રાજાની રાજધાની અણહિલપુરપાટણે થશે, અને અપરાજિતની રાજધાની અવંતીનગરીમાં થશે. એમ ચારે પુત્રોને રાજપાટે થાપી, પોતે એકલો સંગ્રામ કરશે. જેથી પૃથ્વીને રુધિરથી નવરાવશે. વલી નવ નંદ રાજાના સંચેલા સુવર્ણના મોટા નવ શુભને લોકોના મુખથી સાંભલીને પૃથ્વી ખોદાવી તેમાંથી ધન કાઢી લેશે, તથા બીજું પણ ઘણાં સ્થલથી દ્રવ્ય ગ્રહણ કરશે. તે વારે તેના ભંડારમાં નવાણું કોડાકોડી સોનૈયા ભસ્યા રહેશે, ચૌદ હજાર હાથી, સાડા ચારસેં હાથણી, પાંચ કોડી પાયક, સત્યાશી લાખ ઘોડા, એટલો સૈન્યનો પરિવાર થશે. જેનું આકાશમાં ત્રિશુલ ચાલશે, પાષાણનો ઘોડો ચાલશે, તથા મહાક્રૂર કષાયવાલો થશે. તેના જન્માવસરે મથુરાના દેરાના ઈડાં પડશે. મહારોગ દુર્ભિક્ષ થશે. તે કલંકી સંપૂર્ણ રાજ્ય કરતો જે વારે છત્રીશ વર્ષનો થશે, તે વારે તે ભરત ક્ષેત્ર માંહેલા ત્રણ ખંડનો અધિપતિ થશે, અને પોતાનું એકછત્ર રાજ્ય ચલાવશે. પછી વલી અધિક લોભમાં પડ્યો થકો પોતાના નગરમાં પૂર્વ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy