SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ રહેશે. મારા નિર્વાણથી છસેં ને વીશ વર્ષે આર્યમહાગિરિજી થશે, તે ગ્રામાનુગ્રામ વિહાર કરશે. છસેં ને નવ વર્ષે રથવીરપુર નગરમાં દિગમ્બર મત થશે. વલી મારા નિર્વાણથી ત્રણસેં વર્ષે ઉજ્જયણીમાં સંપ્રતિ રાજા થશે, તે આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી જાતિસ્મરણજ્ઞાન પામીને જૈન ધર્મ ધારણ કરશે, ત્રણ ખંડનો ભોક્તા થશે, વિનયવંત થશે, જૈનપ્રાસાદે કરી પૃથ્વી શોભાયમાન કરશે, સવા લાખ દેરાસર, છત્રીશ હજાર જીર્ણોદ્ધાર, સવા કોડી જિનપ્રતિમા, પંચાણું હજાર ધાતુની પ્રતિમા અપાર ભરાવશે, એક હજાર ઉપાસરા કરાવશે, સાતમેં દાનશાલા કરાવશે, અને પોતાના સેવક મૂકી અનાર્યદેશમાં પણ જિનધર્મ પ્રવર્તાવશે, નિગ્રંથોના વિહાર થાય એવાં ક્ષેત્ર કરશે, એ રીતે તે રાજા સર્વ દેશોમાં જિનધર્મ પ્રવર્તાવશે, તે કાલ કરી દેવલોકે જશે. વલી મારા મોક્ષથી ચારસ ને સીત્તેર વર્ષે ઉજ્જયણીમાં વિક્રમાદિત્ય રાજા થશે, તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમ્યક્ત્વ પામશે, જૈની થશે, તેનો અગ્નિવીર નામા વેતાલ ચાકર થશે, એ રાજા બહુ વિધવાન્, ધૈર્યવાન, પરોપકારી એવો સર્વ લોકોમાં પ્રસિદ્ધિ પામશે, પોતાના નામનો સંવત્ ચલાવશે, દેવતા તેની સ્તવના કરશે તથા વિક્રમાદિત્યના સંવથી ૧૩૫ મે વર્ષે શાલિવાહન રાજા થશે. તે પણ પોતાનો શક પ્રવર્તાવશે, તથા વિક્રમાદિત્યથી પાંચસે પંચ્યાસી વર્ષે શ્રીહરિભદ્રસૂરિ થશે. મારા નિર્વાણથી ૯૯૩ વર્ષે કાલિકાચાર્ય થશે, તે કારણના યોગે ચોથથી સંવત્સરી કરશે, પછી પક્ષપાત થશે. મારા નિર્વાણથી ૧૨૭૦ વર્ષે બપ્પભટ્ટસૂરિ મહા વિદ્યાવિશારદ થશે. તે આમ રાજાને પ્રતિબોધી ગ્વાલેરના પર્વતમાં ત્રણ કોટિ સોનાની મૂર્તિ શ્રીવીર ભગવાનની ભરાવશે. મારા નિર્વાણથી ૧૩૦૦ વર્ષ ગયા પછી ઘણા ગચ્છ થશે. તે મારા માર્ગને ડોલી નાખશે. સુધર્મપરંપરા ઉત્થાપીને પોતપોતાના ગચ્છ થાપી વાડા બાંધશે. સહુ પોતપોતાની જૂદી જૂદી સમાચારી કરશે, પ્રરૂપણા ભિન્ન કરશે, શ્રદ્ધા ભિન્ન કરશે, પોતાનો ગચ્છ સ્થાપન કરવા માટે અસત્ય બોલશે, સિદ્ધાંતરુચિ જીવો સ્વલ્પ થશે, ક્રિયાએ શિથિલ થશે. વલી લોકમાં કષાય ઘણો થશે, લોકો મર્યાદા રહિત થશે, ધર્મનષ્ટ લોક થશે, મિથ્યાત્વી ઘણા થશે, પરોપકાર રહિત સત્યતા રહિત એવા લોક થશે, શિષ્ય પોતાના ગુરુનો વિનય કરવો મૂકી દેશે, ગામ સ્મશાન સરખાં થશે અને નગર તે ગામડાં જેવાં થશે, ઉત્તમ પુરુષો ચાકરી કરશે નીચ શ્રી દિવાલીકલ્પ ૮૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy