SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ખલજન, તે પૂજા સત્કાર અને રુદ્ધિ પણ પામશે. વલી આગલ ચાલતાં રાજાએ એક શિલા સૂક્ષ્મવાલાગ્રે બાંધી આકાશને વિષે લટકતી દીઠી. તે વારે સૂત્રકંઠ નામે બ્રાહ્મણને પૂછવાથી તેણે કહ્યું કે હે મહાભાગ! કલિયુગને વિષે શિલા સરખું પાપ ઘણું થશે, અને વાલાગ્ન સરખો અલ્પ ધર્મ પ્રવર્તશે. તેટલા ધર્મના મહાત્મ્ય કરી કેટલોએક કાલ ચાલશે, પછી તેમાંથી પણ લોક નીસરશે, તે ધર્મ ત્રુટશે, તે વારે સર્વલોક બૂડશે. એ પ્રકારે અન્યદર્શનીઓના ભારતાદિક ગ્રંથમાં ૧૦૮ પ્રકારે કરી કલિયુગની સ્થિતિ દેખાડી છે. પણ ઈહાં ગ્રંથ વધવાના ભયથી લખતા નથી. હવે પૂર્વોક્ત સ્વપ્નનું ફલ સાંભલી શ્રી ગૌતમસ્વામી વિસ્મય પામીને યદ્યપિ પોતે શાને કરી સર્વ જાણે છે, તો પણ સભાના લોકોને જણાવવાને અર્થે પૂછતા હતા કે હે ભગવન્! આપના નિર્વાણ થયા પછી શું થનાર છે ? તે વારે ભગવાન્ બોલ્યા કે હે ગૌતમ! મારા નિર્વાણ પછી નેવ્યાસી પક્ષ ગયે થકે પાંચમો આરો બેસશે, તેમાં યમદંડ સરખા રાજા થશે, અને મારા નિર્વાણ પછી બાર વર્ષે હે ગૌતમ ! તું મોક્ષે જઈશ, મારા પાટે ક્રમે કરી ૨૦૦૪ આચાર્યો થશે. તેમાં પ્રથમ મારે પાટે સુધર્મ ગણધર બેસશે. તે મારા નિર્વાણ પછી વીશ વર્ષે મોક્ષે જશે. વલી સુધર્મને પાટે જંબૂ આચાર્ય થશે. તે મારા નિર્વાણ પછી ચોસઠ વર્ષે મોક્ષે જશે. તે વાર પછી ભરત ક્ષેત્રમાં આહારક શરીર, મન:પર્યવ-જ્ઞાન, પુલાકલબ્ધિ, પરમાવધિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, કૈવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર, એ ત્રણ ચારિત્રનો એક ભેદ, નવમો મોક્ષમાર્ગ, અને દશમો જિનકલ્પ, એ દશ વાનાં વિચ્છેદ જશે. જંબૂને પાટે વલી પ્રભવસૂરિ થશે. તેને પાટે સ્વયંભવસૂરિ દ્વાદશાંગધારી દશવૈકાલિક કરશે. તેને પાટે ચૌદપૂર્વી શ્રીયશોભદ્રસૂરિ થશે. તેને સંભૂતિવિજય અને ભદ્રબાહુ, એ બે શિષ્ય થશે. તેમાં ઘણા ગ્રંથનો રચનારો, નિર્યુક્તિનો કરનારો એવો ભદ્રબાહુ તે મારા નિર્વાણથી એકસો ને સીતેર વર્ષે દેવલોકે જશે. તેના શિષ્ય થૂલિભદ્ર થશે. ઇહાં બાર દુકાલી પડશે. એ આચાર્ય દશ પૂર્વ અર્થ સહિત ભણશે, અને ચાર પૂર્વ અર્થ વિના ભણશે. તે મારા નિર્વાણથી બસ ને પંદર વર્ષે દેવલોકે જશે. ઇહાં પહેલું સંઘયણ અને સંસ્થાન તથા સૂક્ષ્મ મહાપ્રાણાયામ ધ્યાન વિચ્છેદ જશે. પછી અનુક્રમે પાંચસે ચોરાશી વર્ષે વજ્ર આચાર્ય જશે. તથા છસેં ને સોલ વર્ષે પુષ્પમિત્ર થશે. ઇહાં સાડાનવ પૂર્વ વિચ્છેદ જશે અને નવ પૂર્વનું જ્ઞાન શેષ ૮૨ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy