SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ થકા રહેશે, તોપણ અન્યત્ર વિહારક્ષેત્રના અભાવથી ભાંગેલા ઘડાના જેવા જે પાસત્યાદિક છે તેની ઉપર પડીને પીડાને કરશે. શેષ ક્ષેત્ર અકર્મે પડ્યા થકા નિર્ધદ્ધસપણે કરી સુક્ષેત્ર વર્જીને તેમને સંક્લેશના કરનારા થશે. તિહાં તે માંહોમાંહે વિવાદ કરતા થકા બેહુ જણ સંયમથી ભ્રષ્ટ થશે, વિનાશ પામશે, કેટલાએક તપગારવી થશે, કેટલાએક ક્રિયાને વિષે શિથિલ થશે. મત્સરવશે કરીને અસ્પર્શધમી થશે, ધર્મને પૂંઠ દેશે. કેટલાએક જો પણ વલી ઘેલા નથી, તોપણ તે ઘેલાની પેઠે રાજાની કથાને દૃષ્ટાંતે પાસત્કાદિકની સાથે રહીને આત્માનો નિર્વાહ કરશે. એટલે એ ભાવ જે જ્ઞાનાદિક ગુણ સહિત ચારિત્રવંત સુવર્ણ કળશ જેવા મુનિ થોડા થશે, તેમના મનમાં પણ કાલના પ્રભાવથી લિંગીઓના પ્રચારથી મત્સરદોષપણું લાગશે. એમ લોભપણું ઠેકાણે ઠેકાણે થશે. લિંગધારીઓ ઘણાં થશે. તે શુદ્ધ સાધુઓની સાથે કલહ કરશે, તે વારે તે શુદ્ધ સાધુઓ પણ તેમને ઉત્તર આપવા માટે વિવાદ કરશે. તેથી લોકોના મનમાં બહુ સરખા જાણવામાં આવશે. તે લિંગીઓ મુનિઓને સંતાપીને લોકમાં પોતાના જેવા એ પણ છે એમ દેખાડશે, એટલે ઘણા ભેખધારી સ્નાત્ર, શણગાર કરશે, તેને લોકો ભ્રષ્ટ કહેશે, અને મુનિઓને ભલા કહેશે, તે વારે તે લિંગીઓ મુનિઓને સંતાપી તેઓને કલહ કરતા લોકમાં દેખાડીને પછી લોકોને કહેશે કે, એઓમાં અને અમારામાં શો ફેર છે ? એમ કરી સાધુની ઉપર લોકોનો ભાવ ઉતારશે. તે વારે તે ગીતાર્થ મુનિઓને પણ લિંગીઓની સાથે મલી ચાલવું પડશે. તેથી તે યતિ નિગ્રંથનો જે શુદ્ધ માર્ગ છે, તેની પ્રરૂપણા કરશે નહીં. જે માટે તે જાણશે કે, જો આપણે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરશું, તો લિંગીયા કલહ કરશે એવું જોઇને તે પોતાના મનમાં શુદ્ધ રહી તેઓની સાથે મળતા રહેશે. એના ઉપર એક રાજા અને ઘેલાની કથા કહે છે : પૃથ્વીપુર નગરે પૂર્ણ નામે રાજા છે, તેનો સુબુદ્ધિ નામે પ્રધાન છે, તે મહાબુદ્ધિમાનું છે. એક દિવસે લોકદેવ નામે નિમિત્તયો રાજસભામાં આવ્યો તેને પ્રધાને પૂછ્યું, કહો નિમિત્તિયા ! આગલનું વર્ષ કેવું થશે? નિમિત્તયાએ કહ્યું કે, એક માસ પછી એક વરસાદ એવો વરસશે કે, તેના જલપાન કરનાર સર્વ ઘેલા થશે. પછી કેટલાએક કાલે બીજી મેઘવૃષ્ટિ થશે, તેનું જલ પીવાથી વલી સર્વલોક સારી સમજવાલા થઈ જશે. તે સાંભળી રાજા અને પ્રધાને આખા નગરમાં જલસંગ્રહ કરવાનો પડહ વજડાવ્યો, તે વારે સર્વ લોકે જ સંગ્રહ કર્યો. તેમજ રાજા અને શ્રી દિવાલીકલ્પ ૭૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy