SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાને પણ જલસંગ્રહ કર્યો. એવામાં એક માસ વિત્યો કે કુમેઘવૃષ્ટિ થઈ. તેણે કરી સર્વ કૂવા તલાવ ભરાઈ ગયાં, પણ તેનું પાણી કોઈ પીવે નહીં, સહુ કોઈ પોતાના ઘરમાં સંગ્રહ કરેલું પાણી પીએ. એમ કરતાં એક રાજા, બીજો પ્રધાન, એ બે વિના સર્વ લોકો સંગ્રહ કરેલું જલ ખપી ગયું તે વારે તે નવું પાણી પીવા લાગ્યા તેથી સર્વ લોક ઘેલાં થઈ ગયાં. તે વારે રાજસભામાં આવનાર સામતાદિક સર્વ લોક કચેરીમાં બેઠા થકા ગાંડા બની ગયા; પરંતુ રાજા અને પ્રધાન એ બે જણ ઘેલાઈનાં ચિહ્ન કરે નહીં તે જોઈ સર્વ સભાલોને જાયું જે આ રાજા અને મંત્રી બે ગાંડા થઇ ગયા છે, આપણા જેવા સમજુ નથી, માટે એને ઉઠાડી મુકીએ, અને બીજા ડાહ્યાને રાજા અને પ્રધાન કરી સ્થાપીએ. એમ સર્વ જનોએ વિચાર્યું. તે વાત પ્રધાને રાજાને કહી, તે વારે રાજાએ કહ્યું, એ સર્વ લોકોને કાઢી મૂકો. તેને પ્રધાને કહ્યું કે, એ આપણથી કઢાય નહીં, ઝાઝાનું જોર ચાલે, માટે એ આપણને કાઢી મૂકશે. રાજાએ કહ્યું તો આપણે કેમ આત્માને રાખીશું. પ્રધાને કહ્યું આપણે પણ એના સરખા ગાંડા થઈને એની સાથે રહીએ. નહીતર આપણને એ કાઢી મૂકશે. પછી રાજા પ્રધાન બહુ જણ કચેરીમાં ઘેલા થઈને તેની પૂઠે ગાન કરતા, નાચતા સ્વેચ્છાએ વિકલ થતા રહ્યા. તે જોઈ સામેતાદિક બોલ્યો, હવે એ બે જણ પણ ડાહ્યા થયા. એમ કરતાં કેટલેક કાલે વલી ભલો વરસાદ થયો. તેના જલનું પાન કરવાથી સર્વ લોકની જેવી પ્રકૃતિ હતી તેવી યથાર્થ સમીચીન થઈ. તે વારે સર્વ સ્વસ્થ થયા, એ દૃષ્ટાંત કહ્યો. એનો સિદ્ધાંત કહે છે. કુમેઘની પેરે પાંચમો આરો જાણવો, અને નિમિરિયાની પેઠે કેવલી માર્ગ ભાખી ગયા છે તથા નગરલોક ઘેલા થયા, તેમ શ્રાવક જનો પાખંડીઓનાં વખાણ સાંભળવારૂપ માઠું જલ તેનું પાન કરી આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિરૂપ ઘેલાઈને પામ્યા. તે શ્રાવક સર્વ પાસસ્થાની ભેગા ગયા, અને શુદ્ધ મુનિ પ્રગટ થશે તે રૂપ વરસાદ થયો. તેના વચલા કાલમાં રાજા મંત્રીની પેઠે શુદ્ધ મુનિ અને સંવેગપક્ષી, એ બે શુદ્ધ માર્ગને જાણે છે ખરા, પણ ઘણા શ્રાવકલોક પાસસ્થાના વખાણથી ઘેલા થયેલા તે બહુની મશ્કરી કરતાં લંડના કરવા લાગ્યા, તે વારે શુદ્ધ મુનિ અને સંવેગપક્ષી, એ બે યદ્યપિ જાણે છે, તો પણ એવું વિચારે, જે કોઈ શ્રાવક શુદ્ધ મુનિના ઉપદેશમાં આવી શુદ્ધ માર્ગને જાણે, તિહાં સુધી તેમની સાથે જ રહેવું. એમ વિચારી પ્રાસાદસ્થાને રહેલા સુવર્ણકલશ જેવા શુદ્ધ મુનિ પણ પાસસ્થાની સંગતરૂપ મલથી મલીને રહેશે, એ આઠમા સ્વપ્નનું ફલ સાંભલીને પુણ્યપાલ રાજા ૮૦ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy