SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમે સ્વપ્ન કોઈએક કષણી દુર્વિદગ્ધ ભૂમિ ઉપર ભૂમિને સુક્ષેત્ર જાણતો થકો તથા સાર યોગ્ય બીજને અયોગ્ય અસાર જાણતો થકો અને અયોગ્ય અસાર બીજને યોગ્ય સારબીજ જાણી તેને વાવીને અંકૂરા નીપજાવવા લાગ્યો. તેમાં કોઈ દૈવપ્રયોગથી શુદ્ધ બીજ આવી જાય છે તો તે કાઢી નાખે છે, પણ સુક્ષેત્રને વિષે સુબીજ વાવતો નથી. તેનું ફલ ભગવાન્ કહે છે. ઈહાં કર્ષણીને સ્થાનકે દાનધર્મની રુચિવાલા પુરુષ જાણવા. તે મૂર્ખ લોક પાત્ર કુપાત્રની પરીક્ષા કર્યા વિનાજ ભેખધારીઓ તથા શુદ્ધ સાધુઓ એ બન્નેને સરખા માનશે અને કહેશે કે આપણને તો સર્વ સરખાજ છે. સર્વ જગાએ ધર્મ છે, એમ બોલતા કુપાત્રને પાત્ર જાણી દાન દઈ અનંત સંસાર વધારશે. એવા દાનના દેનાર થશે, અથવા અબીજરૂપ જે કુસાધુ હશે, તેને સાધુની બુદ્ધિએ દુર્વિદગ્ધ ગ્રહણ કરશે. અસ્થાનકને વિષે અવિધે થાપશે. જેમ કોઈ કષણી અબીજને શુદ્ધ બીજ કરી માને, અને શુદ્ધ બીજને અબીજ કરી માને, જેમાં કીડા પ્રમુખ તેંદ્રિય જીવ ઘણા ઉપજે, તેમાં જો કોઈ શુદ્ધ બીજનો અંકૂરો પ્રગટ થાય, તો તે વિખેરી નાખે, તેને રાખે નહીં. અથવા અન્ય પક્ષે શુદ્ધ અંકૂરને ચતુષ્પદાદિક જીવો ઉચ્છેદી નાખે. એમ અજાણ મૂર્ખ લોક ધર્મની શ્રદ્ધાએ કરી જો સુપાત્રને પામશે, તોપણ અવિધિ અબહુમાન આદે દઈને એવી રીતે કરી નાખશે કે જે થકી પુણ્યરુપી આ અંકૂરા સફલ નહીં થશે. ઈતિ સપ્તમ સ્વપ્નફલમ્ lol - આઠમે સ્વપ્ન પ્રાસાદના શિખરને વિષે ખીરોદકે ભરેલો અને સૂત્રાદિકે શોભાયમાન કંઠવાલો એવો કલશ છે. તેની પાસે વલી બીજભૂમિને વિષે ગલા રહિત ઠોબર સમાન બાંડો ભાંગેલો ઘટ છે. હવે કાલે કરી તે સારો કલશ પોતાના સ્થાનક થકી ચલાયમાન થઈને તે ભાંગેલા ઘટની ઉપર પડ્યો. તેથી તે સારો કલશ ભાંગી પડ્યો, તેનું ફલ ભગવાન્ કહે છે. પ્રથમ ઉગ્ર વિહાર કરી વિહાર કરતા થકા પૂજા પ્રતિષ્ઠા પામેલા એવા પ્રાસાદ શિખરભૂમિ સ્થાનકે રહેલા જે સાધુઓ તે કાલને દોષે કરીને પોતાનું સત્તર ભેદે સંયમરુપ જે સ્થાનક તેથી ચલ્યા. ઉત્સત્રીભૂત થયા થકા શીતલવિહારી મંદવિહારી થશે. તે વારે બીજા પાસત્યાદિક ભૂમિએ રહ્યા અઢાર પાપસ્થાનરુપ ભૂમિરજે કરી અત્યંત લીપાણા એવા અસંયમ સ્થાનકે રહ્યા ભાંગેલા ગલાવાલા ઘટપ્રાય નિષણપરિણામી જે હશે, તેનાથી પૂર્વે કહ્યા જે સુસાધુ તે જો પણ ટલતા શ્રી દિવાલીકલ્પ ૭૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy