SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહકલેવરમાં જે કાલાંતરે કીડા પડ્યા, તે એમાંજ રહ્યા થકા પ્રવચન નિર્ધદ્ધસ લોક એવા દુષ્ટ ઉપજશે જે માંહોમાંહે પોતે જ પોતાના ધર્મને નિંદશે, ભંડના કરશે, તેથી જિનશાસનની લઘુતાઈ દેખાડશે કે જે દેખીને અન્યદર્શની જે જિન ધર્મના પ્રત્યેનીક લોકો છે, તે એવું કહેશે કે શ્રાવકોને પણ માંહોમાંહે એક પરંપરા દેખાતી નથી. એવી રીતનાં વચન પાખંડી લોકો કહેશે, તથા નિશ્ચય નિરતિશેષ એજ પ્રવચન માંહે કશો અતિશય નથી, તે માટે તે પ્રત્યેનીક લોક નિર્ભયપણે પ્રવચનને ઉપદ્રવ કરશે. એટલે પાંચમા આરાને વિષે શ્રીજિનશાસન તે સિંહકલેવરની પેઠે તપોલિબ્ધિ, જ્ઞાનાતિશય ઈત્યાદિ પ્રભાવથી રહિત થશે તોપણ જેમ સિંહના મડાને દેખી શિયાલીયા પ્રમુખ શ્વાપદ દૂર નાસી જાય, તેમ જૈનના શુદ્ધ મુનિઓના પ્રભાવની આગલ અન્યદર્શનીઓ કુતીર્થીઓરુપ શિયાલીયાં ઊભાં રહી શકશે નહીં. તેમજ પાસત્યાદિક શિયાલીયાં ઊભાં રહી શકશે નહીં. તથાપિ નાના પ્રકારના સ્વચ્છંદાચારીઓ અનેક પ્રકારની વિપરીત પ્રપણા ગ્રંથ સમાચારીઓ રચીને ભિન્ન ભિન્ન કરી નાખશે. તે પાસત્યાના પ્રચારથી કુતીથીઓ પણ પીડા ઉપજાવશે. ઈતિ પંચમ સ્વપ્નફલ / પ / છઠે સ્વપ્ન કમલ જે છે, તે પદ્મ સરોવરાદિક મોટા સ્થાનકમાં ઉગે, તેને બદલે ઉકરડાના ઢગલા ઉપર કમલ ઉગ્યું દીઠું તે પણ સર્વત્ર ઉકરડાના ઢગલાઓ ઉપર નહીં, પણ કોઈ કોઈ ઉકરડાની ઉપર ઉગેલું દીઠું, તે પણ વલી જેવું જોઈએ તેવું રમણિક ન હતું, પણ થોડું સમીચીન અને ઘણું કુત્સિત હતું. તેનું ફલ કહે છેઃ ઈહાં સરોવરને સ્થાનકે ધર્મક્ષેત્ર જાણવું. અથવા ઉત્તમ કુલ જાણવું. તેને વિષે ધર્મની પ્રતિપત્તિ જોઈએ, તે પદ્મ સરોવર જેવું કહેવાય, પણ પાંચમા આરાને વિષે તો જે સરોવરરુપ ક્ષેત્રને સ્થાનકે રાજા પ્રમુખ ઉત્તમ કુલના પુરુષરૂપ જે સાધુ શ્રાવકનો સંઘ તે તો કુશીલ સંસર્ગી, પતિતપરિણામી થકો ધર્મરુપ કમલને વર્જશે, અને ઉકરડારુપ પ્રત્યંત ક્ષેત્રને સ્થાનકે ઈહાં નીચ કુલપ ક્ષેત્ર જાણવું, એટલે નીચ કુલમાં પણ સર્વત્ર નહીં, પરંતુ કોઈ કોઈ જાતિવિશેષમાં ધર્મ પ્રવર્તશે. અર્થાત્ જે જીવ આજીવિકાના દોષે કરી દુઃખી થકા લોકે નિંદિત થકા રીસ પ્રમુખ દોષે કરી દુષ્ટ હોવાથી પોતાનો આત્માર્થ સાધી ન શકે એવા કૂડકપટથી ભરેલા વણિકાદિ કુલ માંહેલા કોઈક ભાગને વિષે કદાગ્રહરૂપ સંસાર વધારનાર એવો લેશમાત્ર ધર્મ પ્રવર્તશે. ઈતિ ષષ્ઠ સ્વપ્નફલમ્ | ૬ | શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy