SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તેના કરનારા, અધર્માચારી, દુષ્ટાનુષ્ઠાનને વિષે રક્ત, માઠી પરિણતિએ અપરિક્ષપણાને વિષે દુષ્ટ માર્ગે પ્રવર્તતા એવા લોક તે કર્મબંધને કારણે દુષ્ટ મૂઢ ધાર્મિક વાયસ જેવા જાણવા. એવા પુરુષો તે સુસાધુપ વાવડી તરફ જતાં થકા માર્ગની વચમાં કુલિંગીરુપ કુત્સિત તલાવ દેખીને તે માર્ગ ભણી જશે, તે વારે મૂઢ ધર્મને કોઈ ગીતાર્થ કહેશે કે, અરે ભોલાઓ! તમે જે ધર્મમાં પ્રવર્તી છો, તે ધર્મ એ ન હોય, કેમકે કર્મબંધની હેતુભૂત એવી માઠી પરિણતિ જ્યાં વ, ત્યાં અનુવાદ પ્રવર્તનાએ ધર્મપણું ન હોય, માટે ધર્મનો આભાસ માત્ર પણ એમાં નથી, તોપણ તે લોકો ગીતાર્થનું વચન અણમાનતા પાખંડીના ધર્મને વિષે જશે. તેવા પુરુષો વાયસની પેઠે વિનાશ પામશે, સંસારમાં પડશે. તેમાં વલી જે પુરુષ પૂર્વોક્ત વાવ્ય સરખા ગીતાર્થ ગુરુનાં વચન માનશે તે શુદ્ધ ધર્મના થાપનાર થશે. એ ચોથા સ્વપ્રનું ફલ કહ્યું || ૪ || હવે પાંચમાં સ્વપ્નનું ફલ કહે છેઃ અનેક જીવે કરી આકુલ એવું જે વિષમ વન, તેમાં એક મૃતક સિંહનું કલેવર છે, પણ તેનું કોઈ ભક્ષણ કરતું નથી. શિયાલીયા પ્રમુખ પણ તે મૃતક સિંહનો વિનાશ કરતા નથી, અનુક્રમે તે સિંહના કલેવરને વિષે કીડા ઉપન્યા. તે દેખીને શિયાલીયા પ્રમુખ જીવ પણતેને ઉપદ્રવ કરે છે, એવું સ્વપ્ન દીઠું તેનું ફલ હું કહું છું, તે તું સાંભલ. સિંહપ પ્રવચનસિદ્ધાંત જાણવો અને જિહાં ધર્મના જાણકાર સ્વલ્પ પુરુષો છે એવું આ ભરત ક્ષેત્રપ વન જાણવું. જેમાં પ્રકર્ષપણે કોઈ વિરલાજ સુગુરુના રુડા પરીક્ષક થઈને ધર્મના ધોરી થકા સિંહના કલેવરરુપ છે, અને પરતીર્થીઓ જે પોતાના અંગીકાર કરેલા કુધર્મ તેને વિષે રક્ત જિનપ્રવચનના પ્રત્યેનીક તેરુપ વ્યાપદનો સમૂહ એટલે તે વનચર જીવોનો સમૂહ જાણવો. તેણે એવું માન્યું છે, જે એ શ્રીજિન સંબંધી પ્રવચન જે છે, તે અમારી પૂજા સત્કાર દાનાદિકના ઉચ્છેદ કરનાર છે. તે માટે ય તકત્ પ્રવૃત્તિઓ કરી, અર્થના અનર્થ પ્રવર્તાવતા, એવા વિષમ કુમાર્ગને અંગીકાર કરીને રહેલા જે જનો, તકૂપ થાપદે કરી સંકુલિત છે તે વ્યાપદરુપ પ્રત્યેનીક જનોના ભયે કરીને યદ્યપિ તે પ્રવચનરુપ સિંહકલેવર ઉપદ્રવ પામેલું નથી, તોપણ તેના અતિશયનો અભાવ થવાથી સિંહકલેવરનું નિ:પ્રભાવપણું થશે. અન્ય તીર્થીની સાથે સ્વતીર્થીની માંહોમાંહે પ્રીતિ થશે. કાલભાવના દોષે કરી સુસ્થિતપણું થશે. તથા તે ૭૬ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy