SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાની સભામાં કર્યું. તિહાં ભગવંતે પોતાનું આયુ સ્વલ્પ જાણી ભાષાવર્ગણાનાં પુદ્ગલ અધિક હતા માટે લોકના હિતને અર્થે સોલ પહોર પર્યત દેશના દીધી. એવામાં પુણ્યપાલ રાજા આવ્યો, તેણે પૂછ્યું કે હે ભગવન્! મેં આઠ સ્વપ્નાં દીઠાં તેનાં નામ કહું છું. પ્રથમ સ્વપ્ન જૂની શાળામાં હાથી દીઠો, બીજે સ્વપ્ન વાંદરો ચાલતા કરતો દીઠો, ત્રીજે ક્ષીર વૃક્ષને કાંટા દીઠા, ચોથે કાગડો ઘણા પાણીથી ભરેલા સરોવરને છોડી સ્વલ્પ પાણીમાં સ્નાન કરતો દીઠો, પાંચમે સિંહનું મડદુ દેખી બીજા જનાવર વેગલાં રહે પણ પાસે ન આવે. છઠે કમલ ઉકરડે ઉગતું દીઠું, સાતમે ઉખર ક્ષેત્રમાં બીજ વાવતો દીઠો, અને આઠમે સ્વપ્ન સોનાનો કુંભ મલીન ભગ્ન થયેલો દીઠો. માટે હે ભગવન્! એ સ્વપ્નોનો થ્થો અર્થ છે? તે કહો. તે વારે ભગવાન બોલ્યા કે હે રાજન્ ! એ સ્વપ્નોનું ફલ હવે પાંચમાં આરામાં વર્તશે તે હું કહી સંભળાવું છું. પ્રથમ સ્વપ્ન જે જૂની શાળામાં હાથીઓ રહે છે. તે જૂની શાલા પડતે થકે તેમાંથી કાઢવા માંડ્યા તોપણ કેટલાએક હાથીઓ નીકલ્યા નહીં તે વિનાશ પામ્યા. તથા કેટલાએક તે શાલાથી સંક્ષોભ પામીને નીકલ્યા તે વિનાશ ન પામ્યા. એવું જે સ્વપ્ન દીઠું તેનું ફલ કહું છું. આ પાંચમાં આરામાં દુઃખ, દૌર્ભાગ્ય, દીનપણું, રોગ, પીડા, તે સમાન વિષમ જૂની શાલા જેવો ગૃહસ્થાવાસ જાણવો. તેમાં હાથી સરખા ધર્માર્થી શ્રાવક જાણવા. તે એવા થશે કે ગૃહસ્થાવાસમાં રહ્યા થકા મહા દુઃખ દેખશે, તોપણ દીક્ષા લેશે નહીં, અને જો લેશે તો પાછા મૂકી દેશે, પરંતુ વ્રતરુપિણી નવીન શાલામાં જઈ અવિદનપણે રહેશે નહીં. જૂની શાલામાંજ પડ્યા રીબાશે. કદાપિ કોઈએક સપુરુષ ગૃહસ્થાવાસરુપ જીર્ણ શાલામાંથી નીકળીને ચારિત્ર ગ્રહણ કરશે, તો તેમાં પણ ઘણા ભગ્નપરિણામી થશે. યથાર્થ ચારિત્રમાં રહી શકશે નહીં. કોઈ વિરલા પુરુષજ સાધુ થઈને આગમાનુસારે ઘર સંબંધી સંક્લેશની અવગણના કરી દીક્ષા લઈ કુલીનપણા માટે ચારિત્રનો નિર્વાહ કરશે. એ ભાવાર્થ જાણવો. જીરણ શાલા રક્ત થયા, હસ્તી તણા સમાજ // તસ ક્ષોભે શાલા પડી, ગુંજી રહ્યા ગજરાજ // ૧ / પડતાં કોઈક નીકલે, કોઈક રહે સંક્ષોભ // ઘણા ત્રાસ પામે તિહાં, વલી થોડા અક્ષોભ // ૨ // || ઈતિ પ્રથમ સ્વપ્ન છે. શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy