SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપન્યા. તે વારે ત્રિશલા રાણીએ ચૌદ સુપન દીઠાં. અનુક્રમે ચૈત્ર શુદિ તેરશને દિવસે જન્મ થયો. છપ્પન્ન દિક્કુમારિકા તથા ચોસઠ ઈંદ્રે જન્મમહોત્સવ કરચો. જન્મ થયા પછી માતાપિતા ધનધાન્યાદિ સર્વપ્રકારે વધ્યાં, તેથી તેનું વર્ધમાન એવું નામ પાડ્યું. તથા પરિસહથી અને દેવતાથી ભય ન પામ્યા, માટે દેવતાઓએ શ્રીમહાવીર એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવન પામ્યા, તે વારે ભોગસમર્થ જાણીને માતાપિતાએ યશોદા નામે કન્યા પરણાવી. એમનો કાકો સુપાર્શ્વ હતો, વડો ભાઈ નંદીવર્ધન હતો, સુદર્શના નામે બહેન હતી. હવે યશોદા સ્ત્રી સાથે સુખ ભોગવતાં થકા તેમને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. એવા પરિવારે પરણ્યા થકા જે વારે અઠ્ઠાવીશ વર્ષના થયા, તે વારે માતા-પિતા દેવલોક પહોંચ્યાં, તેથી ગર્ભમાં છતા ભગવંતે અભિગ્રહ કહ્યો હતો જે માતાપિતા જીવતાં ચારિત્ર લેશું નહીં, તે અભિગ્રહ સંપૂર્ણ થયો. તથાપિ મોટા ભાઈ નંદીવર્ધનના કહેવાથી બે વર્ષ વલી પણ ગૃહવાસે રહ્યા. પછી લોકાંતિક દેવ આવી બોલ્યા કે હે ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો. તે વારે ભગવાન સંવત્સરી દાન આપી, છટ્ટનું તપ કરી મોટા મહોત્સવથી ચંદ્રપ્રભા પાલખીમાં બેસી માગશિર વદિ દશમીને દિવસે પાછલે પહોરે દીક્ષા લેતા હતા. તિહાં મન:પર્યવજ્ઞાન ઉપજ્યું. બીજે દિવસે કોલ્લાગસન્નિવેશ ગામે જઈ પારણે ક્ષીરનું ભોજન કરવું. સર્વ મલી સાડાબાર વર્ષ તપ કરવું. ગોવાલીયાના, શૂલપાણિ યક્ષના, સંગમદેવના ઉપસર્ગ સહ્યા. અને ઋજુવાલુકા નદીને તીરે શ્યામાક કુટુંબીના ક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષની નીચે શુક્લધ્યાન ધ્યાવતા ગોદોહિકાસને બેઠા, છઠ્ઠ તપે કરી વૈશાખ શુદ દશમીએ ઘાતિકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવે સમવસરણ રચ્યું, ચોસઠ ઈંદ્ર આવ્યા, ઇંદ્રભૂતિ આદિક અગીયાર ગણધર થાપ્યા, તેના નવ ગચ્છ થયા. ચૌદ હજાર સાધુ, છત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવક, ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ આદિક પરિવાર થયો. અને દીક્ષા લીધા પછી એક ચોમાસુ અસ્થિગ્રામે, ત્રણ પૃષ્ઠચંપામાં, વાણીયગ્રામે વિશાલ નગરીની નિશ્રાએ બાર ચોમાસા, રાજગૃહીના નાલંદાપાડે ચૌદ ચોમાસા, મિથિલામાં છ ચોમાસા, ભદ્રિકા નગરીમાં બે ચોમાસા, આલંભિકાપુરીમાં એક ચોમાસુ, પ્રણીતભૂમિમાં અનાર્ય દેશ મ્લેચ્છ દેશમાં એક ચોમાસુ, સાવચ્છીમાં એક ચોમાસુ તથા છેલ્લું અંતનું એક ચોમાસુ પાવાપુરીએ હસ્તિપાલ શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only ૭૧ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy