SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે જો શ્રાવકને હોલિ કરવી હોય તો પૂર્વોક્ત દ્રવ્યહોલિ ન કરવી, પરંતુ વર્ષમાં ત્રણ ચોમાસી આવે છે, તેમાં ફાલ્ગુન ચોમાસી હોલિને દિવસે આવે છે, માટે તે વખત ચૌદશ અને પૂનમ મલી બેહુ દિવસ છઠ્ઠ ફરીને બે ઉપવાસ કરવા, પોસહ કરવો. સર્વ સંઘે એકઠા થઈને મોટા મહોત્સવ સહિત ભગવાન્ આગલ પૂજા ભણાવવી, માંગલિકનાં પદ બોલવાં અબીલ, ગુલાલ, કુંકુમ, ચંદનનાં છાંટણા કરવાં, પછી સ્વામીવાત્સલ્ય કરવું. એવી રીતે હોલિ કરવી. એટલે તપોરુપ અગ્નિ સલગાવીને કર્મરુપ છાણાં બાલવાં, રાગ દ્વેષરુપ કાષ્ઠ બાલવાં, ધ્યાનરુપ મંત્ર જપવા, ઈત્યાદિક શુભ કરણી કરવી. તથા ગ્રંથાંતરે વલી એમ પણ લખ્યું છે કે, વ્યંતરીને જે વારે પાછલો ભવ સાંભરચો, તે વારે તેણે જાણ્યું જે આ નગરનાં લોક મહા દુષ્ટ છે; કારણકે મને કોઈ વારે પૂરી ભિક્ષા પણ આપતાં ન હતાં. એમ ચિંતવી ક્રોધવંત થઈ થકી લોકોને ચૂરવા માટે તે નગરની ઉપર આકાશમાર્ગથી એક મોટી શિલા વિર્તી. હોલિકાનું પુણ્ય પ્રબલ હતું તેથી તેને મારવા માટે કાંઈ ઉપાય ચાલ્યો નહીં, અને શિલા દેખી લોક સર્વ ભય પામતાં થકાં તેની સામે ધૂપ પ્રમુખ કરી બલિબાકુલા ઉછાલી પૂજા કરવા લાગ્યાં. તે વારે તે વ્યંતરી કોઈક રીતે મુખથી બોલી જે અહો લોકો ! મારાં પીયરિયાં ભાંડ હતાં, અને સાસરિયાં ભરડા હતાં. તે બહુ કુલ ઉપર મને ઘણો સ્નેહ રહ્યો છે, માટે ભાંડ અને ભરડા ટાલીને બીજા સર્વ લોકોને હું મારી નાખીશ. તે સાંભલી સર્વ લોકે વિચારવું જે આપણે પણ ભાંડ થઈએ તો એ મારશે નહીં. એમ મરણની બીકથી સર્વ લોકોએ રુડા કુલની મર્યાદા મૂકીને ભાંડપણું આદરયું, જે વચન બોલવા યોગ્ય ન હતાં, તેવાં નિર્લજજ વચન બોલવા લાગ્યાં, દુષ્ટ વાજાં વજાવતાં ભાંડ જેવાં થયાં. વલી બીજે દિવસે શરીરે રાખ અને ધૂળ લગાડી કાદવ ચોપડીને ભરડા સરખાં થયાં. તે દિવસ પછી વર્ષોવર્ષ હોલિને બીજે દિવસે લેટી પર્વ પ્રવસ્યું. તે વારે તે વ્યંતરી સર્વ લોકોને ભાંડ ભરડા દેખીને પ્રસન્ન થઈ થકી પોતાને સ્થાનકે ગઈ. એવી રીતે સદ્ગુરુ કહે છે કે હે ભવ્યો ! મિથ્યાત્વરુપ લૌકિક હોલિ પ્રવર્તી, તે કર્મબંધનરૂપ જાણવી. એ કોઈ રીતે કલ્યાણકારી નથી, માટે તે પરિહરવી. સૌભાગ્યપણું, સંપૂર્ણ આયુષ્ય, નીરોગતા, આશ્ચર્યકારક સંપદા, ઉપમારહિત રુપપણું, જગત્માં યશકીર્તિની પ્રસિદ્ધતા, ઠકુરાઈપણું, હાથી, ઘોડા, રથ, પાયક યુક્ત રાજ્યલક્ષ્મી, પંડિતાઈ, ચતુરાઈ, વિવેકપણું ઈત્યાદિ સંપદાનો જો અભિલાષ શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only ૬૭ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy