SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ માતાપિતા તેને ઘણુંએ વર્ષે અને કહે કે તું મિથ્યાત્વીઓનાં પર્વારાધન મ કર, ચિંતામણિરત્ન સમાન શ્રીજૈનધર્મ હાથમાં આવ્યો, તેને નાખી દઈને કાચનો કટકો મ ઉપાડ, તથા અમૃતનો પ્યાલો મૂકીને વિષનો પ્યાલો ઉપાડ નહીં, જો વિષપાન કરીશ તો દુઃખી થઈશ. ઈત્યાદિક ઘણી યુક્તિથી માવિત્રે સમજાવી, તોપણ મિથ્યાત્વીના અતિ પરિચયથી તેણે કાંઈ માન્યું નહીં, અને મિથ્યાત્વીઓનાં પર્વ આરાધવા લાગી. જેમ જેમ મિથ્યાત્વી લોક વખાણે, તેમ તેમ ખુશી થાય. પછી તેનાં માતાપિતાએ તેને પરણાવી, તે થોડાજ કાલમાં મરણ પામીને શેઠની પુત્રી હોલિકા નામે થઈ, અને કથા વાંચનાર વ્યાસની જે દીકરી હતી કે જેની સાથે હોલિકા પણ બાલ્યાવસ્થામાં મિથ્યાત્વીનાં વ્રત કરતી હતી, તે બ્રાહ્મણી મરણ પામીને ટૂંઢા થઈ. તથા દેવી કુમારીએ કિંચિત્માત્ર જિનધર્મ આરાધ્યો, તેના યોગે કિંચિત્ સુખ મલ્યું, અને વ્રતભંગ કર્યો, તેથી બાલપણામાં રંડાપો પામી પૂર્વ ભવની મિત્રાઈથી ટૂંઢાએ કામપાલ સાથે મેલાપ કરી દીધો. ટૂંઢાએ જેવાં કૃત્ય કર્યાં, તેવાં તેનાં ફલ પણ તરત પામી. એ હોલિકા અહીંથી કાલ કરીને ઘણો સંસાર ભમશે. તથા તે કથાનો વાંચનાર બ્રાહ્મણ મરીને કામપાલ થયો. એ પણ હજી ઘણો સંસાર ભમશે. એવી રીતે હોલિનું પર્વ ઉત્પન્ન થયું છે. તે પ્રમાણે હમણાં પણ પરમાર્થશૂન્ય જે અજ્ઞાની લોકો છે, તે છાણાં, લાકડાં પ્રમુખનો, એક હોરીનો, બીજો દોસીનો એવા બે ઢગલા કરીને હોલિપર્વને કરે છે. તથા ધૂલ ઉડાવવી, મલ મૂત્ર છાંટવાં, રાસભ ઉપર ચઢવું, અસભ્ય વચન એટલે દુર્વચન બોલવાં, સ્ત્રી મનુષ્યને પીડા ઉપજાવવી, કદર્થના કરવી, માંહોમાંહે હાસ્ય મશ્કરી કરવી, વાજાં ઈત્યાદિ ક્રિયા કરવી. તે સર્વ કર્મ અનર્થદંડનું કારણ જાણવું. એ દ્રવ્યહોલિ છે, તે ઉત્તમ પુરુષને ત્યાગવા યોગ્ય છે. ધર્મી મનુષ્યને તો ભાવ હોલિ આ પ્રમાણે કરવી, તે કહીએ છીએ. જાગ્રત તપ: અગ્નિ લઈને કર્મોનાં દલિચાપ જે છાણાં તેને બાળી નાખવાં તથા ધર્મધ્યાનરુપ પાણીથી ખેલ કરવો, શુભ ભાવનારુપ જલે કરી ક્રીડા કરવી. નવતત્વરુપ ગુલાલ ઉડાડવો, પાંચ સમિતિરુપ પિચકારી હાથમાં લઈને ઉપશમલરુપ છંટકાવ કરવો. એ પ્રકારે ઉત્તમ પુરુષને ભાવહોલિ કરવી તથા ખેલવી, પણ ભવ્ય જીવે દ્રવ્યહોલિની તો સામું પણ જોવું નહીં, હોલિ ખેલવી નહીં; એ પાપપર્વ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે, સંસારવૃદ્ધિનું દાતા છે. ગુરુ શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy