SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કરો તો એ દુષ્ટ દુર્ગતિના દાતાર એવા મિથ્યાત્વીઓનાં પર્વોનો ત્યાગ કરો, અને શ્રીજિનધર્મનું સેવન કરો. જે થકી સર્વ પ્રકારનાં પૂર્વોક્ત સુખ પામીને પરભવે સ્વર્ગાપવર્ગ પ્રત્યે પામો. તે કારણે ભવ્ય જીવોએ પોતાના આત્માના સુખને માટે શ્રીવીતરાગ દેવનો ઉપદેશેલો ધર્મ સેવન કરવો. સામાયિક, પોસહ, પડિક્કમણું, વ્રત, પચ્ચખાણ, ભગવંતની પૂજા, ગુરુવચન, વ્યાખ્યાનાદિક ધર્મ આરાધન કરવો. - વલી ગુરુ કહે છે કે જે પ્રાણી બલતી હોલિની જાલમાં એક મુષ્ટિ ગુલાલની નાખે તો તેને દશ ઉપવાસનું આલોચણ આવે, તથા જો એક લોટો પાણીનો રેડે તો એકસો ઉપવાસનું આલોયણ આવે, મૂળ નાખે તો પચાસ ઉપવાસનું આલોચણ આવે, છાણાં નાખે તો પચ્ચીશ ઉપવાસ, એક ગાલ બોલે તો પન્નર ઉપવાસ, ગીત ગાય ફાગ ગાય તો દોઢસો ઉપવાસ, ડફ વજાવે તો સિત્તેર ઉપવાસ, એક છાણું નાખે તો વીશ ઉપવાસ, છાણાંનો હારડો કરી નાખે તો સો વાર બલી મરવું પડે, શ્રીફલ નાખે તો હજાર વાર બલી મરવું પડે, એક સોપારી નાખે તો પચ્ચાસ વખત બલી મરવું પડે, ધૂલ રાખ નાખે તો પચ્ચીશ વખત બલી મરવું પડે, હોલિનો ખાડો ખોદે તો સો વાર બલી મરવું પડે, હોલિમાં લાકડા નાખે તો હજાર વખત બલી મરવું પડે, હોલિ સલગાવે તો હજાર વખત ચંડાલના કુલમાં ઉપજવું પડે, એક વાર બાલે તો દશ હજાર વખત બલી મરવું પડે, હોલિની પૂજા કરે તો બલી મરવું પડે. વલી જે પુરુષ હોલિભૂખ્યો રહી વ્રત કરે, તે એક હજાર વખત મ્લેચ્છના કુલમાં ઉપજે. એ રીતે સર્વ પાપોથી હોલિનું પાપ ઘણું છે, સરાગ વચનથી, ઘણા અનાચારથી, છક્કાયની હાનિના દોષથી, દારુ, ખોટ, તટકીયા, ભૂગલાં, ભાઠાં, ઈંટાલાં ઘણાં બલે છે તથા લોક પોતપોતામાં બાધી મરે, આપસમાં લડાઈ કરે, તેથી ઘણાનાં માથાં ફૂટે, ઈત્યાદિકથી પાપ ઉપજે છે, ઘણા ગરીબ લોક શાપ આપે. ઈત્યાદિક અનેક અનર્થ થાય તે સર્વ પાપના હેતુ છે, માટે ધર્મિષ્ઠ પ્રાણીને હોલિની જવાલા પણ જોવી યોગ્ય નથી. નવકાર ગુણવા, બેલાં કરવાં, અને હોલિના ફિતુરથી જીવને દૂર રાખવો, જે માટે “લાખે એક લખેસરી, સોએ એક સુજાણ II ધર્મી થોડા, અસરાપ થોડા, સિંહ થોડા, હંસ થોડા, સાધુ થોડા, સુજાણ થોડા, ગંભીર થોડા, વાતના રાખનાર થોડા, દાતાર થોડા” માટે અનર્થરુપ પાપ ન કરવું, હોલિ બની ન જોવી, અંતઃકરણમાંથી અજ્ઞાનદશા કાઢી નાખવી. || ઈતિ હુતાશનીપર્વવ્યાખ્યાન સંપૂર્ણમ્ II શ્રી હોલિકા ६८ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy