SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો છોકરા છોકરીઓને સાથે સાથે લઈ આવીને તે ચિતાને પગે લગાડીને માનતા કરવા લાગ્યાં. માંહોમાંહે એક બીજાને કહેવા લાગ્યાં કે, એ સતીની ભસ્મ જો શરીરે ચોપડીએ, તો તાપ આદિક અનેક રોગો મટી જાય, અથવા એ રાખનું કાજલ કરી જો આંખમાં આંજીએ, તો આંખના સર્વ રોગ મટી જાય. વલી એ હોલિનો પ્રસાદ જો ખાય તો અપુત્રીયાને પુત્રપ્રાપ્તિ થાય. એવું જાણીને લોક તે હોલિનું ઘણુંજ માહાભ્ય કરવા લાગ્યાં. ઘણાં લોકે હોલિનું વ્રત કરવાનો નિયમ લીધો, ઘણાં લોકોએ હોલિની રાખ લઈ જઈને ધાન્યના કોઠારમાં નાખી, કારણકે જો રાખ નાખશું તો એ ધાન્ય અખૂટ થશે, કે વારે ખૂટશે નહીં અને સદા ભરપૂર રહેશે. એવો નિશ્ચય કયો. રાજા તથા પ્રધાન પ્રમુખને ખબર પડવાથી તે પણ તિહાં આવીને હોલિકાને પગે લાગ્યા અને તેની રાખ લઈ જઈને પોતાના ભંડારમાં ખજાનામાં મૂકી. ઘોડા તથા હાથીઓ પ્રમુખની ઉપર ચોપડી. એવી રીતે તે હોલિકાની યશકીર્તિ નગરમાં પરગણામાં ફેલાતી ફેલાતી ઘણા દેશોમાં વિસ્તાર પામી ગઈ. હોલિકાનાં માતાપિતા પણ કોઈક પ્રકારે હોલિના શોકથી નિવૃત્ત થઈને ઘણા દિવસે હોલિને ભૂલી ઘરનો ધંધો ચલાવવા લાગ્યાં. હવે એકદા કામપાલ હોલિને કહેવા લાગ્યો કે, ધન વિના સંસારમાં જે મનુષ્ય છે, તે જીવતો પણ મુઆ એવો જાણવો, ધન વિના સંસારનાં સુખ પણ ભોગવાય નહીં, માટે હું ધન કમાવા પરદેશ જાઊં છું. એવું પતિનું બોલવું સાંભલીને હોલિ વિચારવા લાગી એની સાથે સુખ ભોગવવા સારુ મેં આ ઉપાય કર્યો. તો હવે જો એ મારો ભરતાર પરદેશ જતો રહે, તો મારે એનો વિયોગ થઈ પડે. તે વારે મારું યૌવન ફોગટ જાય, માટે હું કોઈક એવો ઉપાય કરું કે જે થકી મારો ભરતાર પણ ઘેર રહે, અને ધન પણ મલે. એનું કારણ શોધવા મનમાં વિચાર કરીને પછી કામપાલ પ્રત્યે કહેવા લાગી કે તમે મારા પિતાની દુકાને જઈને મને પહેરવા સારુ અમૂલ્ય વસ્ત્ર વેચાતું લઈ આવો. તે વારે કામપાલ પણ સ્ત્રીના કહેવા ઉપરથી મનોરમ શેઠની દુકાન ગયો અને કહેવા લાગ્યો કે હે શેઠજી ! મારી સ્ત્રી સારુ ઉમદા અમૂલ્ય વેષ પહેરવા માટે વસ્ત્ર વેચાતું આપો. તે વારે શેઠે પણ ઘણું સરસમાં સરસ ઉંચું વસ્ત્ર કાઢીને આપ્યું. તે જોઈ કામપાલ બોલ્યો, કે આ વસ્ત્ર હું મારી સ્ત્રીને દેખાડી આવું, જો તે પસંદ કરશે તો ઠીક, નહીંતર પાછું બદલાવી બીજું લઈ જઈશ. શેઠે તે વાત શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy