SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ હવે હોલિકા નિરંતર ટૂંઢા પાસે બેસે, રાત્રે પણ તિહાંજ રહે, અને હોલિકાનાં માતાપિતા તો ટૂંઢાનો ઉપકાર માને છે, જે એણે અમારી છોકરીને જીવતી રાખી છે, તેથી તે કાંઈ પણ ટૂંઢા ઉપર શંકા લાવતાં નથી. હવે રાત્રિની વખતે કામપાલકુમર પણ ટૂંઢાને ઝૂંપડે આવીને હોલિકાની સાથે ભોગવિલાસ કરે તે વાત કોઈ જાણે નહીં. એકદા ફાગુન શુદિ પૂનમને દિવસે હોલિકા અને કામપાલ બહુ ઢુંઢાના ઝૂંપડામાં સૂતાં થકાં વિચારવા લાગ્યાં, જે છ કાને વાત ગઈ હોય તે બહાર પડ્યા વિના રહે નહીં, માટે આ ટૂંઢાની જો કોઈ વારે મારા માતાપિતા ભક્તિ નહીં કરશે, તો એ આપણી વાત જાહેર કરી દેશે, તે વારે આપણી ફજેતી થશે, માટે આજે આપણે એ ટૂંઢાને બાલી ભસ્મ કરી અન્ય સ્થાનકે ચાલ્યાં જઈએ, તો આપણ બેહુને વિયોગનું દુઃખ પણ મટી જાય. એમ ચિંતવી અદ્ધ રાત્રિએ ટૂંઢાનું ઝુંપડું કે જેમાં તે પોતે બે જણા સૂતાં હતાં તે તથા તેની પાસે બીજી એક ઘાસની ઝૂંપડી હતી, તેમાં હોલિના કહ્યાથી સૂંઢા સૂતી હતી તેને નિશંકપણે નિદ્રા આવી ગઈ છે, તે બહુ સ્થાનકોને સલગાવી દીધાં. ટૂંઢા તે માંહે સૂતી હતી તે બલી ભસ્મ થઈ ગઈ અને કામપાલ તથા હોલિકા તેહિજ નગરમાં ક્યાંક એકાંત સ્થાનકે જઈ રહ્યાં. સ્ત્રીના ચરિત્રનો કોઈ પણ પાર પામે નહીં. પ્રભાતે હોલિકાનાં માતાપિતાએ કૃત્રિમ ચિતા દેખીને જાણ્યું, જે હોલિકા બલીને મરણ પામી, ગામનાં લોકો પણ કહેવા લાગ્યાં જે ધન્ય છે આ સતીને કે જેને અજાણપણાથી પુરુષનો હાથ માત્ર સ્પર્શ થયો, તેથી તે અગ્નિશરણ થઈ, માટે એ મરણ પામીને દેવલોકે ગઈ હશે. એવી સતીઓ તો જગમાં કોઈ વિરલીજ નીકલે. એ તો બિચારી તેહિજ દિવસે અગ્નિમાં પ્રવેશ કરતી હતી, પણ એનાં માતાપિતાના કહેવાથી તથા આપણા ગામનાં લોકોના કહેવાથી આટલા દિવસ જીવતી રહી. હવે માતાપિતા પણ બળેલી પુત્રીનાં મૃતકાર્ય કરવા લાગ્યાં. કુટુંબનાં બધાં માણસ ઘણોજ શોક સંતાપ કરવા લાગ્યાં. અહો સતી ! અહો સતી ! અમારા કુલમાં દીપક સમાન, અમારા ઘરમાં તું એક અમૂલક રત્ન હતી, તે તું જતી રહી ! એવો મુખથી ઉચ્ચાર કરીને ઘણા વિલાપ કરવા લાગ્યાં. તેને સતી જાણીને ઘણાં લોક તે બળેલું સ્થાનકે આવી નમસ્કર કરવા લાગ્યાં, ચિતાને પગે લાગતાં હતાં. રાખ ઉપાડી પોતાનાં કપાલે ટીલાં કરતાં હતાં. ઘણાં લોક રાખ ચોપડવા લાગ્યાં. ઘણાં લોક નાળિયેર ફોડી વધેરવા લાગ્યાં. ઘણાં શ્રી હોલિકા ૬O Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy