SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તમારો ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહીં. ટૂંઢાએ બુદ્ધિ ઉપાર્જી શેઠ શેઠાણીને કહ્યું કે, આવતી ચૌદશને દિવસે સૂરજવાર આવે છે, માટે તે દિવસની એક પ્રહર રાત્રિ ગયા પછી ગામની બહાર શ્રીસૂરજનું મંદિર છે, તિહાં ઘણાં સ્ત્રી પુરુષોને સાથે તેડી વાજતે ગાજતે જઈ હોલિકાને પૂજા કરવી પડશે. તે વાત શેઠ શેઠાણીએ માની. તે વારે ટૂંઢાએ જઈને કામપાલને સર્વ વાતે વાકેફ કરીને કહ્યું કે, તમે ચૌદશને દિવસે સૂર્યના મંદિરની ભમતી માંહે ગુપ્તપણે રહેજો, એવો સંકેત કર્યો. પછી જે વારે ચૌદશ આવી, મેલો ભરાણો, ઘણાં લોક એકઠાં થયાં, તે અવસરમાં હોલિકા પણ પોતાની ભોજાઈઓની સાથે સારાં વસ્ત્ર પહેરીને પૂજાપો લઈ ગાજતે વાજતે ઘણાં લોકોના સમુદાય સહિત મંદિરને બારણે આવી. તિહાં ટૂંઢા બોલી કે એકલી હોલિકાનેજ માંહે જવા દ્યો. તે વારે બીજા લોક બહાર રહ્યાં અને હોલિકા માંહે જઈ છુપી રહેલા કામપાલની સાથે વિષયસુખ ભોગવવા લાગી. એટલામાં તો કોઈ એક પુરુષે દીઠી, તે વારે હોલિકાએ જાણ્યું કે હવે મારી લાજ આબરુ જશે, તેથી કામપાલને કહ્યું કે તું મુજને ધક્કો મારીને ચાલ્યો જાજે. તે સાંભલી કામપાલ પણ દીવાના જેવો થઈને ઘણાં લોકો દેખતાં હોલિકાને ધક્કો મારી આલિંગન દેઈ આ સ્ત્રી મારી છે, એમ કહેતો તિહાંથી નાશી ગયો. તે વારે હોલિકા કપટથી સતીનો ડોલ કરવા સારુ કામપાલના વાંસામાં હાથની થપાટ મારી પ્રહાર દેઈ બૂમ પાડી મોટે સાદે પોકાર કરવા લાગી, જે અહો લોકો! મુજને કુકર્મી પરપુરુષનો સ્પર્શ થયો, તેનું મોટું પાપ લાગ્યું તેની શુદ્ધિ કરવી પડશે. એમ અત્યંત હઠને વિષે તત્પર તથા અત્યંત ગુપ્ત છે કપટ જેનું એવી તે હોલિ, જો પણ અસતી છે તોપણ બહારથી સતી થવા માટે કપટથી મરવાને તૈયાર થઈ, કહેવા લાગી કે, અરે મારો શીલભંગ થયો. તો હવે હું અગ્નિમાં બલી મરું. હવે હું મારે ઘેર જઈશ નહીં; કારણકે સ્ત્રીને તો શોભા માત્ર એક શીલનીજ છે, તેનો તો મારે આ બાલ્યાવસ્થા માંહેજ ભંગ થયો. તો હવે મારે જીવીને શું કરવું છે? હવે મારું જીવવું અયોગ્ય છે. એવી વાત સાંભળી તે હોલિકાનાં માતાપિતા તિહાં આવી પુત્રીને સમજાવવા લાગ્યાં. બીજાં પણ ઘણાં લોક એકઠાં થયાં, અને કહેવા લાગ્યાં કે હે બાઈ ! મેલામાં તો ઘણા પુરુષ તથા સ્ત્રીઓને માંહોમાંહે ધક્કા લાગે છે, માટે એ દીવાના પુરુષના ધક્કાથી શું તારો શીલભંગ થયો ? એથી કાંઈ તારો શીલભંગ થયો નથી. તું તો મહા સતી છો, તે સર્વ લોક જાણે છે. એમ સમજાવીને માતાપિતા તેને પોતાના ઘેર લઈ આવ્યાં. શ્રી હોલિકા ૫૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy