SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાટમહોત્સવ તે આદ્ય મંગલ જાણવું. તિહાં વલી અંતમંગલ બે પ્રકારનું છે. તેમાં એક જિનધર્મનું અંતમંગલ અને બીજું મિથ્યાત્વનું અંતમંગલ. તેમાં જૈનધર્મ-વાલાની પુત્રી પરણીને સાસરે જાય, તે વારે શ્રીજિનમંદિરમાં જઈ ઉત્સવ સહિત દેવ જુહારે, અને ગુરુનો યોગ હોય તો તેને વાંદે, સમકિતાદિક વ્રતનો ઉચ્ચાર કરે, કારણકે જો મિથ્યાત્વીઓનાં ઘરની કન્યા હોય, તો પછી ઘરમાં કદાગ્રહ કરે. ઘરના બીજા માણસોને મિથ્યાત્વ પર ગમાવે. તે કારણે પ્રથમથી સમકિતની શ્રદ્ધા કરાવે. બીજો ભેદ મિથ્યાત્વીની “દેવગણા કરે, તે આવી રીતે, કે - મિથ્યાત્વીઓનાં દેવ દેવીને જુહારે, મિથ્યાત્વીઓના ગુરુની ભક્તિ કરે, ઈત્યાદિ જાણી લેવું. હવે તે હોલિકા સુખસમાધે શ્વશુરના ઘેર રહી થકી કેટલાએક દિવસ પછી પીયરીએ આણા માટે ગઈ. એકદા તેના ભરતારને રાત્રિને સમયે અકસ્માત્ તીવ્ર વેદના થઈ આવી, તેનાથી તે મરણ પામ્યો. તે વારે તેનાં માતાપિતા સાસુ સસરો આદિક હાહાકાર કરતા મોટો પોકાર કરી રોવા પીટવા લાગ્યાં. હોલિકા પણ મહા દુઃખ ધરતી સર્વ પરિવાર સહિત રુદન કરવા લાગી. આખા નગરમાં હાહાકાર થયો. પછી તેનાં મૃતકારજ કરવા માટે અખાત્રીજના ચાર બ્રાહ્મણ જમાડ્યા, પાણીનો લોટો ભરી બારણે નામ્યો, દીવી કરી મૂકી. એમ બાર દિવસ લગણ કરી તેરમે દિવસે જ્ઞાતિ જમાડી. એમજ માસીસો, છમાસી, શ્રાદ્ધ સંવત્સરી, પીત્રીને પાણી આપવું ઈત્યાદિ સર્વ કર્મબંધના હેતુ જે મિથ્યાત્વીઓનાં કૃત્ય છે, તે કયાં. પછી માતાપિતા હોલિકાને પોતાને ઘેર તેડી આવ્યા. ઈહાં સોલ વર્ષની થઈ. એકજ પુત્રી તે વલી બાલવિધવા થઈ, માટે માતાપિતા તેનું ઘણું આદર માન રાખતાં અધિક સ્નેહ ધરવા લાગ્યાં. કહ્યું છે કે : કૃતકર્મક્ષયો નાસ્તિ, કલ્પકોટિશૌરપિ // અવશ્યમેવ ભોક્તવ્ય, કૃતં કર્મ શુભાશુભમ્ / ૧ / એક દિવસ હોલિકા ગોખમાં બેઠી થકી બજારની ચેષ્ટા દેખે છે, એવામાં રાજાનો સામંત જેની તરુણ અવસ્થા છે, કામદેવ જેવો મહા સ્વરુપવાનું છે, તે વંગ દેશના ત્રિભુવનપાલ નામે રાજાનો પુત્ર છે, કામપાલ તેનું નામ છે, તે પોતાના પિતાથી રીસાઈને ઈહાં જેતપુરના રાજાની પાસે આવીને રહ્યો છે. તે પણ બજારમાં ફરતો ફરતો તે વખત ગોખની નીચે આવ્યો. તેની દૃષ્ટિ હોલિકા ઉપર પડી, અને હોલિકાની દૃષ્ટિ તેની ઉપર પડી. તેથી બહુ જણ કામાતુર થયાં. કહ્યું છે કે : પ૬ શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy