SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને વિષે આસક્ત થશે. એક તો પાંચમો આરો, બીજો હૂંડાવસર્પિણી કાલ, ત્રીજો ભસ્મગ્રહ, ચોથો કૃષ્ણપક્ષીયા જીવ અને પાંચમો દક્ષિણાદ્ધભરત એ પાંચ કારણને યોગે કરીને અધર્મી તથા ધર્મવિરાધક, દેવગુરુના પ્રત્યેનીક એવા પ્રાયઃ ઘણા જીવ થશે; માટેજ આ મિથ્યાત્વીઓના પર્વમાં ઘણા લોકો આસક્ત થયા છે. હવે એ હોલિનું પર્વ કેમ પ્રગટ થયું? તેની કથા તુજને કહું છું તે સાંભલ : - આ પાંચમા આરાના પાંચસેં વર્ષ ગયા પછી પૂર્વદેશ મળે જેતપુર નામે નગર, તેનો જયવર્મા રાજા, તેની મદનસેના રાણી છે, અને મતિચંદ્ર નામે પ્રધાન છે. તે નગરમાં ઘણા લોક ધનાઢ્ય વસે છે. તેમાં એક મનોરમ નામે શેઠ રહે છે. તેને પોતાની સ્ત્રી સાથે ભોગ વિલાસ ભોગવતાં થકા ચાર પુત્ર થયા. તે શેઠ શેઠાણીને અત્યંત વલ્લભ હતા, પરંતુ શેઠાણી એક પુત્રીની ઈચ્છા કરવા લાગી; કેમકે પ્રાયઃ સ્ત્રીને પુત્રી વલ્લભજ હોય છે. એમ કરતાં કાલાંતરે એક પુત્રી પણ તેને આવી. તે વારે માતાપિતાદિક સર્વ આનંદ પામ્યાં. તે પુત્રી મહાપવતી, ગુણવતી દેખી તેનો દશોટણ કરી બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે, આ નગરમાં બીજા કોઈનું જે નામ ન હોય, એવું અપૂર્વ કોઈ નામ હોય તે મને કહો, તો તે નામ હું આ મારી પુત્રીનું રાખું. જોશીએ પણ ગ્રહ નક્ષત્ર જોઈ યુક્તિને બલે કરી તે પુત્રીનું હોલિકા એવું અપૂર્વ નામ દીધું. શેઠે પણ જોશીને સંતોષીને વિદાય કરો. હવે હોલિકા સુખે સમાધે લાલી જતી પાલી જતી બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધતી મોટી થતી જે વારે અગીયાર વર્ષની થઈ, તે વારે તેના બાપે લેખનશાળામાં ભણવા બેસાડી. તે થોડા કાલમાં ભણીને ચોસઠ કલામાં પ્રવીણ થઈ. તે વારે તેનાં માતાપિતા વરની ચિંતા કરવા લાગ્યાં, કે જો વયે કરી, વિદ્યાએ કરી, રુ૫ લાવણ્યતાએ કરી એના સરખો વર મલે તો પુત્રી સુખી થાય. એમ ચિંતવી તે શેઠે નગરમાં શોધ કરવા માંડી તે વારે તે ગામમાં દેવદત્ત નામે શેઠની દેવદત્તા નામે સ્ત્રીનો જયદેવ નામે પુત્ર તે મહા રુપવંત, ગુણવંત, પુરુષની બહોંતેર કલાનો જાણ હતો. તેની સાથે હોલિકાનું સગપણ કર્યું. પછી શુદ્ધ લગ્ન જોઈ મોટા મહોત્સવપૂર્વક વિવાહ કર્યો. ઘણો દાયજો આપીને કન્યાને વલાવી દીધી. તિહાં સાસરે જઈ દેવગણા' કરી પોતાના ભરતારની સાથે વિષયસુખ ભોગવતી રહે છે. ઈહાં શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે મહારાજ ! દેવગણા એટલે શું? તે અમને સમજાવો. તે વારે ગુરુ કહે છે કે, દેવસ્થાન તે વ્યવહારે અંતમંગલ જાણવું અને શ્રી હોલિકા ૫૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy