SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નારી દેહ દીવી કરી, પુરુષ પતંગિયા હોય જગ સઘળું ખૂચી રહ્યું, નીકલે વિરલા કોય // ૧ // નારી મદન તલાવડી, બૂડ્યો સયલ સંસાર / કાઢણહારો કો નહી, બૂડ્યા બુબનિવાર // ર / હવે કામપાલ પોતાને સ્થાનકે ગયો, અને પાછલથી હોલિકા વિહલ થઈ. તેના શરીરમાં કામવર વ્યાપ્યો, તેથી ખાવું, પીવું ભાવે નહીં, નિદ્રા આવે નહીં, કામકાજ ઉપર ચિત્ત લાગે નહીં, નિશાસા મૂક્યા કરે. બેસતાં, ઉઠતાં, સૂતાં, ચાલતાં કાંઈ ચેન પડે નહીં, એવી પુત્રીની અવસ્થા જોઈને તેનાં માતાપિતા ચિંતા કરવા લાગ્યાં, વૈદ્ય બોલાવી વિચિત્ર પ્રકારનાં ઔષધ કરાવ્યાં. દોરા, રાખડી કરાવી બાંધ્યાં, ઉતારણાં કરાવ્યાં, ગ્રહપૂજા કરાવી, “આ ધૂણાવ્યા, તેણે કહ્યું કે એનો ભરતાર બાલ્યાવસ્થામાં મરણ પામ્યો છે, તેનું ફૂલ કરાવો, વેષ પહેરો, વરુંદ જમાડો. (ફૂલ કરાવી એક ઘરના માણસના ગળામાં પહેરાવે છે, તથા લુગડાં એક જાતનાં કરી તેજ વેષ, એક ઘરનો માણસ પહેરે છે, તેમજ વદ જમાડે એટલે તેના નામથી એક ઘરનો માણસ કેટલાએક દિવસ જમે. એ સર્વ રીત ઘણું કરી મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે.) તે કર્યું. તાવીત કરાવ્યાં. એમ અનેક ઉપચાર કરતાં પણ શાતા થઈ નહીં. તે વારે માતાપિતા ઘણાં દિલગીર થયાં. એવામાં શેઠે લોકોના મુખથી એવી વાત સાંભલી જે આ નગરમાં ચંદ્રરૌદ્ર નામે વેદીયા ભટ્ટ ભાંડની ટૂંઢા નામે પુત્રી હતી. તે યૌવન પામી તે વારે તેને એજ ગામનો રહેવાસી કોઈ અચલભૂતિ નામે બ્રાહ્મણ ઘરડો હતો, તે પરણ્યો, પણ થોડા દિવસમાં તે બ્રાહ્મણ મરણ પામ્યો, પછી તેના ઘરમાં કાંઈ ખાવાને ન હતું તેથી તે ટૂંઢા માવિત્રને ઘેર જઈને રહી. કર્મયોગે તેનાં માતાપિતા પણ મરણ પામ્યાં. તે પણ દરિદ્રી હતાં. ઘરમાં કોડી એક મલે નહીં, તેથી તેમના મૃતકાર્ય માટે જ્ઞાતિજમણ પ્રમુખ પણ કાંઈ થઈ શક્યું નહીં. પછી તે સૂંઢા બ્રાહ્મણી તાપસણી થઈને ઘર ઘર ભમતી ભિક્ષામાની આજીવિકા ચલાવવા લાગી, પણ તે ઘણીજ અલખામણી છે, માટે તેના મુખ સામું પણ કોઈ જૂવે નહીં. એમ લાંભાતરાયના ઉદય થકી તેને પૂરી ભિખ પણ ગામમાં મલતી નથી. તેથી રીસે બલતી ફક્યા કરે, તેને વલી બીજી કોઈ તાપસણી મલી, તેની પાસેથી તે સૂંઢા કામણ, ટૂંમણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ, ગર્ભપાત, શ્રી હોલિકા પ૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy