SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠીએ ગુરુ પાસેથી ચારિત્ર ગ્રહણ કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મલી આઠ પ્રવચન માતાને પાલી સત્તર ભેદે સંયમનું આરાધન કરવું. વિવિધ પ્રકારે બાર પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાએ કરી માસક્ષપણાદિક કરીને અંતે સંલેષણાનું આરાધન કરવું. મરણ પામીને પ્રાણત દેવલોકને વિષે વીશ સાગરોપમ આયુવાલો દેવતા થયો. તિહાં દેવતા સંબંધી ઘણાં સુખ ભોગવી, આયુ પૂર્ણ કરી ચવીને અહીં જંબુદ્રીપને વિષે મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજાની ગુણસુંદરી નામે સ્ત્રીની કૂખને વિષે પુત્રપણે ઉપન્યો. પૂર્વના સુકૃતથી અત્યંત રુપવાન્ તથા કાંતિમાનૢ થયો. તેનું જયસેન એવુંનામ પાડ્યું. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો, તે વારે તેના પિતા સિંહસેન રાજાએ યોગ્ય એવી શીલવતી નામે રાજકન્યા સાથે તેનું લગ્ન કરાવ્યું. તે સ્ત્રી સાથે કામભોગ પૂર્ણ રીતે ભોગવીને છેવટે વૈરાગ્ય પામી ઉત્તમ ગુરુની પાસે ચારિત્ર લઈ વિહાર કરચો. એકદા જિનકલ્પી થઈ ગુરુથી જૂદો પડી એકાકી વિહાર કરતો તેજ ગામના ઉપવનને વિષે જઈ કાયોત્સર્ગે ઉભો રહ્યો. તિહાં વનદેવતાએ તે મુનિને બીવરાવવા માટે નોલીયો, વિંછી, હાથી, સિંહ, વ્યાઘ્ર વગેરેનાં રુપ કરીને ઘણાજ ઉપસર્ગ કરચા, તેને સહન કરતો શુક્લ ધ્યાનના યોગે કરી કેવલજ્ઞાન પામ્યો. તેનો ચાર નિકાયના દેવતાઓએ આવી મહોત્સવ કરચો. તેણે કરી વનદેવ જે ઉપસર્ગ કરતો હતો, તે પણ પ્રતિબોધ પામીને સમ્યક્ત્વ પામ્યો, જયસેન મુનિ કેવલપર્યાય પાલીને મોક્ષે ગયો. તથા તેમની શીલવતી સ્ત્રીએ પણ ચારિત્ર લીધું. પંચ મહાવ્રતનું પાલન કરવું. અગીયાર અંગનું પઠન કરવું. એકદા કોઈક વનને વિષે કાઉસ્સગ્ગ રહી તે વખતે મિથ્યાત્વી વનદેવે આવી એકવીશ દિવસ પર્યંત ઘણાક પૂર્વોક્ત સિંહાદિ રુપે ઉપસર્ગ કરવા, તોપણ ચલાયમાન થઈ નહીં. દેવ પણ શીલવતીથી બોધ પામીને દેવલોકને વિષે ગયો. તિહાંથી ચવી મહાવિદેહને વિષે સિદ્ધિને પામશે, અને શીલવતી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરવું. એવી રીતે એ શ્રીવીર ભગવાને ગૌતમની આગલ કહ્યું. એ કથા પૂર્વાચાર્યોક્ત સવાલક્ષ શ્લોક સંખ્યાવાલા ગ્રંથમાંથી ઉદ્ધરીને યત્કિંચિંત્ કહી. ।। ઈતિ પોષકૃષ્ણાદશમી વ્રતકથા સમાપ્તા ।। પૌષદશમી Jain Education International 2010_03 For Private & Personal Use Only ૫૩ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy