SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના દેવા માંડી. તે દેશનાને સાંભલીને શ્રેષ્ઠી પોતાને ઘેર આવ્યા. પછી સુરદત્ત શ્રેષ્ઠીએ સર્વ ગૃહભાર પોતાના પુત્રને સોંપીને પોતે પોતાના પુત્રને કહેવા લાગ્યો કે હે પુત્ર! તું પોષ દશમીનું વ્રત જરુર કરજે. તેમાં તે દશમીને દિવસે શ્રીજિનેશ્વરની અષ્ટ પ્રકારે વા સત્તર પ્રકારે પૂજા કરવી. પછી ગુરુના મુખથી વ્યાખ્યાન શ્રવણ કરવું. એક વખત ભોજન કરી ચઉવિહાર નિયમ ગ્રહણ કરવો, અને બ્રહ્મચર્યવ્રત તથા ભૂમિશયન વગેરે ઘણા પ્રકારના નિયમ નવમી, દશમી અને એકાદશી એત્રણ દિવસ સુધી પાલવા, અને પારણાને દિવસે સ્વામીવાત્સલ્ય કરવું. વલી તું કહીશ જે બીજાં ઘણાં વ્રતો છે, તે છતાં દશમીના વ્રતનો આપનો આગ્રહ બહુ છે, તેનું શું કારણ ? તો ત્યાં સુરદત્ત શ્રેષ્ઠી કહે છે કે હે પુત્ર ! તું જો કે આ સર્વ આપણા ઘરમાં આપણને જે અનર્ગલ સંપત્તિ પ્રાપ્ત થઈ છે, તથા આપણે સુખી છીએ, તે સર્વ પૌષ દશમી વ્રતના મહિમા થકી જાણજે; માટે હું તને પણ કહું છું કે તે વ્રતનું આરાધન તારે પણ કરવું. એ પ્રમાણે સુરદત્ત શ્રેષ્ઠીએ વ્રતનું સર્વ માહાત્મ્ય પોતાના પુત્રને કહ્યું. પછી સુરદત્ત શ્રેષ્ઠી ગુરુ સમીપે ગયો, અને ગુરુને જઈ પૂછ્યું કે મહારાજ! પૌષ દશમીનું વ્રત મેં કરવું તથા તેના પ્રભાવથી સર્વ સંપત્તિ મને પ્રાપ્ત થઈ, પરંતુ મહારાજ તે વ્રતના વિધિની મને માલમ નથી, તે કહો. તે વારે ગુરુજીએ કહ્યું કે હે શ્રેષ્ઠી ! પૌષ દશમીના ઉદ્યાપનમાં સર્વ વસ્તુઓ દશ દશ લેવી. તેનાં નામ કહે છે. પ્રથમ દશ પૂઠાં, દશ પુસ્તકબંધણાં એટલે દશ રુમાલ, દશ જપમાલિકા, દશ નીલમણિ, દેશ ચંદ્ગુઆ, સોનુંરુપું, કાંસું અને પીતલ, એ ચાર ધાતુની દશ દશ જિનપ્રતિમાઓ, ઈત્યાદિ સર્વ જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો છે, તે જોઈએ. આ પ્રમાણે ગુરુનો કહેલો ઉજમણાનો વિધિ સાંભલી, તે પૂર્વોક્ત જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણોએ કરી ગુરુના કહેવા મુજબ પૌષ દશમીનું ઉદ્યાપન કરવું. તદનંતર સુરદત્ત શેઠ ગુરુની સમીપ જઈને કહે તો હતો કે : અલિપ્તેણં ભંતે લોએ જન્મજરામરણબંધાણાણિમુત્તછંચારિત દે હિ' ભાવાર્થ:- લોકને વિષે સંસાર થકી અલિપ્ત એવા હે ભગવન્ ! તમે મુજને જન્મ, જરા, મરણના બંધન થકી મુક્ત થવાને માટે ચારિત્ર આપો; કારણકે ચારિત્ર થકી જીવ સ્વર્ગ અને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. એવી રીતે કહી સુરદત્ત પૌષદશમી પર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy