SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બહુ જણ સંતોષ પામ્યા, અને પરસ્પર કહેવા લાગ્યાં કે અહો ! પષ દશમી વ્રતના મહિમા થકી જેની આપણે આશા પણ મૂકી દીધી હતી અને જે સાવ ગયાં હતાં, તે વહાણો વગર પ્રયાસે આવ્યાં, તેમ આપણા ઘરના ભંડારમાંથી સર્પ, વૃશ્ચિક થઈ ગયેલી અગીયાર કરોડ સોનામહોરો પણ આપણને દશમી વ્રતના પ્રભાવથી ઉપલબ્ધ થશે. એમ જ્યાં વાત કરે છે, ત્યાં તો એકાદશ કોટિ સુવર્ણ મુદ્રિકા પણ પ્રગટ થઈ. પછી ત્યાં શેઠ શેઠાણી જઈને જૂવે છે, તો ઉત્પન્ન થયેલી અગીયાર કરોડ સોનામહોરો પૂર્વે હતી, તેવીજ જોવામાં આવી. તે જોઈને સુરદત્ત શ્રેષ્ઠી અતિ હર્ષિત થઈ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો જે તે સ્ત્રી ! જો તો ખરી, કે આ જૈનશાસનનો મહિમા કેવો છે !!! અહો !! આ જૈનશાસન તો પ્રકટ પ્રભાવવાનું દેખાય છે ! અહો ! મેં ઘણાં ધર્મોનાં વ્રત કરી જોયાં, પણ આવી રીતે તુરત પ્રત્યક્ષ ફલદાયક કોઈ પણ ધર્મનાં વ્રત દીઠાં નહીં. ધન્ય છે જૈનશાસનને તથા તેનાં વ્રતને કે જે જૈનધર્મ સંબંધી વ્રતના મહિમાએ કરી ઘણે પ્રયાસે પણ ન આવે, એવાં સવાબસો વહાણ કાલકૂટ દ્વીપથી પોતાની મેળે ચાલ્યાં આવ્યાં, તથા ઘરમાંથી કીટ સમાન થઈ ગયેલી અગીયાર કોટિ સોનામહોરો પણ પોતાની મેલે કોણ જાણે ક્યાંથી પાછી હતી તેવીજ પ્રકટ થઈ. તે સ્ત્રી ! હાલ આપણને દશમી વ્રતના પ્રભાવે કરી જેવું લક્ષ્મીનું દુઃખ હતું, તેવુંજ સુખ થયું, માટે ઘણું શું કહું? ધર્મ માત્રમાં જૈનધર્મ જેવો બીજો આલોક અને પરલોકમાં સુખદાયક કોઈ ધર્મ નથી. એમ સુરદત્ત શ્રેષ્ઠી આહ્યાદિત થઈને પોતાની સ્ત્રીને કહી સહુને કહેવા લાગ્યો, જે શ્રી પાર્શ્વનાથની કૃપાથી તથા ગુરુની આજ્ઞાથી અને જૈનધર્મના પ્રભાવથી હું ધનવાન્ થયો , માટે સહુએ જૈનધર્મ અંગીકાર કરવો. એમ સર્વને ઉપદેશ કરી જૈનધર્મ ઉપર દૃઢ ભાવ રાખીને સુરદત્ત શ્રેષ્ઠી કાલ નિર્ગમન કરવા લાગ્યો. પછી તે સુરદત્ત શ્રેષ્ઠીના નિર્ધનપણાને લીધે શ્રેષ્ઠીપદ ગયું હતું તે, તે ગામના રાજાએ સન્માનપૂર્વક તેમને પાછું આપ્યું. એમ કરતાં એક દિવસ શ્રીસુખેંદ્ર નામે આચાર્ય ફરતા તે ગામના ઉપવનમાં આવી સમોસચા છે. તે સાંભળી રાજા અને સુરદત્ત શ્રેષ્ઠી વગેરે સર્વ મોટા આડંબરે કરી ગુરુવંદનાર્થ આવ્યા, અને વંદન કરી સર્વ પોતપોતાને બેસવા યોગ્ય સ્થાનકે બેઠા. તે પછી સુરેંદ્ર સૂરિએ પિષદશમી ૫૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy