SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ થકી દેશના સાંભલીને સુરદત્ત શ્રેષ્ઠી ધર્મને પ્રાપ્ત થયો અને જીવાજીવાદિ નવ પદાર્થ યુક્ત સમ્યક્ત્વ રત્નને પામ્યો. વલી સુરદત્ત શ્રેષ્ઠી ગુરુપ્રત્યે પૂછે છે કે હે ભગવન્ ! કાંઈ પણ એવું સાધન હોય તે કહો, કે જે સાધન કરવાથી મારું ઘરમાં રાખેલું તથા બહારથી ઉપાર્જન કરેલું જે નિધાન હતું, તે સર્વ જતું રહ્યું છે, તે પાછું મને મલે. ત્યારે ગુરુએ કહ્યું જે હે શ્રેષ્ઠી ! પૌષ દશમીનું વ્રત કરો, તેથી સર્વ સંપત્તિ ઉપલબ્ધ થશે; કારણકે પૌષ દશમીને દિવસે શ્રીપાર્શ્વનાથનો જન્મકલ્યાણક મહોત્સવ છે, માટે તેજ વ્રત તમારે કરવું. એ વાક્ય સાંભલી શ્રેષ્ઠી પૂછે છે કે મહારાજ ! તે વ્રત કેવી રીતે કરવું ? ત્યારે ગુરુ કહે છે કે પ્રથમ પૌષ કૃષ્ણ નવમીને દિવસે સાકર અથવા ખાંડનું ઉષ્ણ પાણી કરીને તેનું પાન કરવું, એકાસણું કરી વ્રત યુક્ત થઈને દશમીને દિવસે એક ઠામે આહાર કરી એક ઠામે પાણી પીને ચઉવિહાર કરવો. તથા તે દિવસે ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાલવું અને બે વખત પડિક્કમણાં કરવાં. તથા જિનાલયમાં જઈ અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી પૂજા ભણવી, ભણાવવી; અને “શ્રીપાર્શ્વનાથાયાર્હતે નમઃ” એ મંત્રનું બે હજાર ગણણું ગણવું, અને વલી ફરી એકાદશીને દિવસે એકાસણું કરવું, તેમજ બ્રહ્મચર્ય તથા ભૂમિશયન તો નવમી, દશમી અને એકાદશી એ ત્રણે દિવસ કરવું. વલી પારણાને દિવસે સ્વામીવાત્સલ્ય કરવું. આ વ્રત દશ વર્ષ પર્યંત કરવું. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે એ પૌષ દશમીનું વ્રત જે મનુષ્ય કરે, તે પુરુષ આ લોકને વિષે ધનધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિને પામે છે, પરલોકને વિષે ઇંદ્રપણાને પામે છે, એ પ્રકારનાં ફલની પ્રાપ્તિ હોય અને અંતે મુક્તિપદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સુરદત્ત શ્રેષ્ઠીએ પૌષ દશમીનું માહાત્મ્ય સાંભલીને ગુરુ પાસે વ્રત ગ્રહણ કરવું. પછી પોતાને ઘેર આવ્યો, અને ગુરુએ બીજે દેશે વિહાર કરચો. પછી સુરદત્ત શ્રેષ્ઠીએ પૂર્વોક્ત રીતે દશ વર્ષ પર્યંત પૌષ દશમી વ્રત આચરણ કરવું અને તે વ્રત સંપૂર્ણ થયું કે તુરત તે વ્રતના મહિમાએ કરી શેઠનાં કરિયાણાનાં ભરેલાં સવાબસો વહાણો જે કાલકૂટ બેટમાં રોકાયેલાં હતાં, તે અનુકૂલ પવનના યોગે કરી પોતાની મેલે શેઠને ગામ આવ્યાં. તે આવેલાં વહાણના ખલાસીઓએ આવીને શેઠને તથા શેઠાણીને કહ્યું કે આપનાં વહાણ કાલકૂટ દ્વીપ થકી કોઈ દેવકૃપાથી અનુકૂલ પવન લાગવે કરી અહીં આવ્યાં છે. તે વાત સાંભલી સ્ત્રીપુરુષ પૌષદશમી ૫૦ Jain Education Internationa*_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy