SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કે હે મહારાજ ! તે વ્રત કોણે કર્યું હતું, અને તે કરનારને શું ફલ મલ્યું ? તે કહો. તે વાત સાંભલી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ ! સાંભળો. શ્રીવામાનંદન પાર્શ્વનાથ તીર્થકરના આંતરામાં સુરદત્ત નામે શ્રેષ્ઠીએ એ વ્રત આરાધ્યું હતું. ત્યારે ગૌતમ પૂછે છે કે, તે સુરદત્ત શ્રેષ્ઠી કયા ગામનો અને કોણ હતો? તથા તેણે કેવી રીતે વ્રત ગ્રહણ કર્યું? તે કહો. ત્યારે વર્ધમાનસ્વામી કહે છે કે હે ઇદ્રભૂતિ! સાંભલ. જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે સુરેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં નરસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ચાતુર્યગુણ યુક્ત અને શીલાલંકાર ધરનારી પતિવ્રત ધર્મવાલી ગુણસુંદરી નામની સ્ત્રી હતી. હવે તે નગરને વિષે મહા ધનવાન, તેજસ્વી, યશસ્વી, પ્રતાપી એવો સુરદત્ત નામે શ્રેષ્ઠી મિથ્યાત્વે કરી વાસિત અંત:કરણવાલો હતો. તેથી સંન્યાસ ભક્તોએ અંગીકાર કરેલા એવા શિવધર્મનું આરાધન કરવામાં પ્રતિદિન તત્પર રહેતો હતો. તેથી તે શ્રેષ્ઠી જૈનશાસન, જિનપ્રવચન, સુદેવ, કુદેવ, સુગુરુ, કુગુરુ, સુધર્મ, અધર્મ, કર્મ, અકર્મ વગેરેને કાંઈ પણ જાણતો ન હતો. વલી બીજું તો શું ? પણ મિથ્યાત્વના ગ્રહણથી જીવ અજીવને તથા જીવ અને શરીર ભિન્ન છે કે એકજ છે તેને પણ જાણતો ન હતો અને મિથ્યાદૃષ્ટિના ધર્મનું આરાધન કરતો છતોજ દિવસ કાઢે છે. પછી તે કેટલેક દિવસે કરેલાં કર્મના ઉદયથી વેપાર કરવા માટે કરિયાણાનાં સવાબસે વહાણો ભરીને રતદ્વીપ પ્રત્યે ચાલ્યો. ત્યાં જઈ સર્વ કરિયાણાં વેચી બીજ નવાં કરિયાણાં લઈ તેનાં વહાણ ભરી પાછો પોતાના નગર ભણી ચાલ્યો. તેવામાં દૈવયોગથી પવનના જોરે કરી વહાણો આડરસ્તે ચાલ્યાં. તે કાલકૂટ દ્વીપને વિષે આવી પડ્યાં, અને ત્યાંથી નીકળવાનો રસ્તો મલ્યો નહીં, તેથી ત્યાં જ રોકાઈ રહ્યાં. પોતે કાલકૂટ દ્વીપમાં ગયો. હવે તે સુરદત્ત શ્રેષ્ઠી કરિયાણાવાલાં વહાણને ત્યાંજ રાખી, તે વહાણમાં જે દ્રવ્ય હતું તે દ્રવ્યનાં પાંચસો ગાડાં ભરી પગરસ્તે ચાલ્યો. રસ્તામાં આવતાં ચોર લોકોની ધાડે સુરદત્ત શ્રેષ્ઠીનાં દ્રવ્યનાં પાંચસો ગાડાં લૂંટી લીધા. પછી સુરદત્ત શ્રેષ્ઠી નાગો-પૂગો ઘેર આવ્યો અને ત્યાં ઘરના ભંડારમાં અગીયાર કરોડ સોનામહોર પણ સર્પ અને વૃશ્ચિક સમાન થઈ ગઈ. ગામમાં શ્રેષ્ઠીપદ હતું તે પણ નિર્ધન થવાથી ચાલ્યું ગયું. તે જોઈ મોટો કલ્પાંત કરવા લાગ્યો, જે અરે ! આ તો કોનો કોપ થયો! જે સર્વ મારું દ્રવ્ય ગયું તેની સાથે માન મરતબો અને આબરુ પણ ગઈ અને ગામના લોકો પણ મને સન્માન આપતાં ૪૬ પૌષદશમી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy