SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષપદને પામે છે. માટે આ સંસારમાં જીવને જિનધર્મની સામગ્રી પામવી મહા દુર્લભ છે. તેમાં વલી દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગ મલવાં તે પણ ઘણાં કઠિન છે. તથા પાપ કરવાથી જીવ નરકમાં જાય છે. તેમાં પણ દેવદ્રવ્યની ચોરી તથા પરસ્ત્રીગમન કરનારા તો સાતમી નરકને વિષે સાત વખત જાય છે. કહ્યું છે કેઃ મોસણે દેવદવ્યમ્સ, પરચ્છિગમeણ ય / સત્તમં નરયં જંતિ, સત્તાવારાઓ ગોયમ / મહારંભયો ઈત્યાદિ // ભાવાર્થઃ પરદ્રવ્યના ચોરવાથી તથા પરસ્ત્રીગમન કરવાથી જીવ સાતમી નરકભૂમિને વિષે જાય છે. મહાભીની પણ એવી જ દશા જાણવી. વલી વીર ભગવાન્ કહે છે કે હે ગૌતમ ! પૂર્વે અનંતા પુરુષ પૂર્વધર થકા પણ નિગોદને પ્રાપ્ત થયેલા છે. આવાં વચન વિર ભગવાનનાં સાંભલી વલી પાછા ગૌતમ પૂછે છે કે મહારાજ!તે પૂર્વધર હતા, અને શા માટે નિગોદમાં ગયા ? ત્યારે ભગવાન્ કહે છે કે હે ગૌતમ! પ્રમાદના યોગે કરી તે પૂર્વધર નિગોદમાં જાય, માટે કોઈ દિવસ કરવો નહીં. વલી ગૌતમસ્વામી શ્રીવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન કરીને પૂછવા લાગ્યા કે હે સ્વામિન્! પૌષ કૃષણ દશમીનું મહાભ્ય મને કહો. એ સાંભલી વર્ધમાન સ્વામી કહે છે કે પૌષ દશમીને દિવસે શ્રીપાર્શ્વજિનનો જન્મ થયો છે, માટે તે દિવસ શ્રીપાર્શ્વજિન જન્મકલ્યાણક છે. માટે તે દિવસે આવી રીતે સર્વ ભવ્ય જીવોએ વર્તવું તે કહે છે. પ્રથમ તો સાયંકાલ અને પ્રાતઃકાલ બે વખત પડિકમણું કરવું, જિનમંદિરમાં જઈ અષ્ટ પ્રકારે અથવા સત્તર પ્રકારે પૂજા ભણાવવી, સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબર કરી ભગવાનનું પૂજન કરવું. પછી ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરી, પ્રણામ કરી, પોતાને ઘેર આવી અને એકલઠાણું કરીને ચઉવિહારનો નિયમ લેવો તેમજ આગલ નવમીને દિવસે એકલઠાણું કરવું, તથા એકાદશીને દિવસે પણ એકાશન કરવું. ત્રિવિધાહારનું પચ્ચકખાણ કરવું. તથા ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાલવું. આવી રીતે પૌષ કૃષ્ણ દશમીનું આરાધન દશ વર્ષ સુધી કરવું. જે પ્રાણી મન, વચન, કાયાએ કરી આ વ્રત પૂર્વોક્ત રીતે કરે, તે જીવ મનોકામના સિદ્ધિને તથા આ લોકને વિષે ધનધાન્યાદિકને પામે પરલોકને વિષે ઈંદ્રાદિપદને પ્રાપ્ત થાય અને અંતે મોક્ષપદને પામે. વલી ગૌતમસ્વામી પૂછે છે પૌષદશમી ૪૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy