SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [] ॥ અથ પૌષદશમી કથા પ્રારભ્યતે | વંદેડš પાર્શ્વનામાંઘ્રિપંકજં સર્વસૌખ્યદમ્ ॥ સમસ્તમંગલશ્રેણિ-લતાપલ્લવતોયદમ્ ॥ ૧ ॥ અર્થ : સર્વ જનને સુખનું દેનારું તથા સમસ્ત મંગલ પંક્તિરૂપ લતાને નવાંકુર કરવામાં મેઘ સમાન એવું શ્રીપાર્શ્વનાથનું જે ચરણ કમલ, તેને હું વંદન કરું છું. વલી કવિ કહે છે કે હું વામેયજિનને નમસ્કાર કરી તથા સદ્ગુરુને પ્રણામ કરીને ભવ્ય જીવના બોધને અર્થે તથા પરોપકારાર્થ ઐહિક અને પારલૌકિક સુખને આપનારું એવું પૌષ માસની કૃષ્ણ દશમીનું વ્રત પ્રાકૃત ભાષાએ કરી કહું છું. માટે હે ભવ્ય લોકો ! હું જે વ્રતનો મહિમા કહીશ, તે વ્રતનું જરુર ભાવે કરી આરાધન કરવું. હવે તે કથા કહે છે. ચંપા નગરીને વિષે પૂર્ણભદ્ર નામે ચૈત્ય છે. તિહાં એક દિવસ ચરમ તીર્થંકર જે શ્રીવીર ભગવાન તે આવીને સમોસરચા. તેમને આવવાના સમાચાર મગધાધિપતિ શ્રેણિક રાજા સાંભલીને મહા આડંબરે ત્યાં પ્રભુની પાસે આવી પ્રેમે કરીને પ્રભુની સન્મુખ બેઠો. પછી સંસારનો જેણે નાશ કરવો છે એવા શ્રી ચરમતીર્થંકર ચાર ગતિમાં પડેલા એવા જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ દેતા હતા. જિનધર્મવિનિમુક્તો, મા ભૂયાચ્ચક્રવર્ત્યપિ ॥ સોડયું ચેટો દરિદ્રોપિ, જિનધર્મા દ્વિવાસતે । ૧ ।। ભાવાર્થ : કદાચિત્ ચક્રવર્તીની પદવી કોઇ પુરુષ પામેલો હોય, તોપણ શ્રીજિનધર્મવિનિમુક્ત થકો હોય તો તે કર્મ થકી મુક્ત થાય નહીં. તેમજ કદાચિત્ કોઇ પુરુષ દરિદ્રી હોય તોપણ તે જિનધર્મ થકી ઉત્તમ મોક્ષપદને પામે છે. અર્થાત્ ચક્રવર્તીપદવી પામેલા પણ જિનધર્મવિમુક્ત જો હોય છે, તો તેને મોક્ષ થતો નથી, પરંતુ દરિદ્રી હોય પણ જિનધર્મમાં સરાગી હોય તો તે ૪૪ પૌષદશમી www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy