SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ લઇ, ચારિત્ર પાલી, મોક્ષે પહોંચ્યો. હવે પાછલ સુગ્રીવરાજા ઘણી રાજકન્યાઓનું પાણિગ્રહણ કરીને તેની સાથે સંસારના સુખ ભોગવતો થકો રહે છે. તેને ચોરાશી હજાર પુત્ર થયા. છેવટે મોટા પુત્રને રાજ્યપાટે થાપ્યો, અને નાના દીકરાઓને લઘુ રાજ્યપાટે સ્થાપન કરીને પોતે સુગુરુ પાસે ચારિત્ર અંગીકાર કરી સુખે ચારિત્ર પાલી ઘનઘાતિ કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામીને ભવ્ય જીવોને પ્રતિબોધતા હતા. અનુક્રમે તે સુગ્રીવરાજા ઋષિ એક લાખ પૂર્વ સુધી ચારિત્રપર્યાય પાલીને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રત્યે પામ્યા. અજરામર થયા. એમ પંચમીના આરાધન થકી ભવ્ય જીવોને અધિક સૌભાગ્યની પ્રાપ્તિ થાય, તેથી એ જ્ઞાનપંચમીનું નામ લોકોમાં સૌભગ્યપંચમી એવું પ્રસિદ્ધ થયું. તો હે ભવ્યો ! તમે પંચમીના તપને વિશેષ આરાધો, એને વિષે ઉદ્યમ કરો, સંસારના ભય ટાલવા માટે એ અત્યંત અદ્ભુત છે, એના આરાધન થકી જીવ, આ ભવ તથા પરભવને વિષે અનંતી સુખસંપદા પામે. એવી રીતે શ્રીતપાગચ્છરૂપ ગગનાંગણ તેને વિષે સૂર્ય સમાન એવા શ્રીવિજય-સેનસૂરીશ્વરજીના લઘુ શિષ્ય એ કથાની સંસ્કૃતભાષામાં રચના કરી. તેને પંન્યાસ કનકકુશલજી, પંડિત શ્રીપદ્મવિજયજી તથા મુખ્ય પંડિત શ્રીભીમ-વિજયજી એવા પંડિતોએ મલીને શોધી શુદ્ધ કરી. જે માટે સંવત ૧૬૫૫ના વર્ષમાં કનકકુશલજીની આગલ સુંદરવિજયજીએ વિનંતિ કરી જે તમે એ જ્ઞાનપંચમીની કથા બાંધો. તેની પ્રાર્થનાથી પૂર્વાચાર્યોએ કરેલા કથાના પ્રબંધો જોઇને મેં એ કથાની રચના મેડતા નામે નગરને વિષે કરી. એ સંબંધ સાંભલીને જે પ્રાણી એ જ્ઞાનપંચમીનું આરાધન કરશે, જ્ઞાનની ઘણી ભક્તિ કરશે, તે ભવ્ય જીવ ઘણી સુખસંપદા પ્રત્યે પામશે. ॥ ઇતિ જ્ઞાનપંચમીની કથા સંપૂર્ણ ॥ પૌષદશમી Jain Education International 2010_03 For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy