SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમ અમૃત રૂપની ધરનારી થઈ. તદનંતર તેના પિતાએ શુભલગ્ન જોઈને મોટે મહોત્સવે કરી જિનચંદ્ર નામે મહા રુદ્ધિવંત વ્યવહારીઆને તે પરણાવી. - તિહાં હથેવાલો મૂકાવવાને અવસરે તેના પિતાએ દાયજામાં ઘણું દ્રવ્ય આપ્યું. તે ગુણમંજરી પણ પોતાના ભરતાર જિનચંદ્રની સાથે ઘણા કાલ સુધી સંસારના સુખ ભોગવતી વિધિ સહિત પંચમીનું તપ કરતી સુકૃત માર્ગે ઘણું દ્રવ્ય વાવરતી થકી છેવટે સગુરુની દેશના સાંભલી દીક્ષા ગ્રહણ કરતી હતી. અંત અવસ્થામાં અધિક ફલને પામવાની ઈચ્છા કરતી એવી ગુણમંજરી તે નિરતિચારપણે ચારિત્ર પાલતી અંત સમયે સમાધિમરણ કરી તથા વરદત્ત ઋષિગણ સમાધિમરણ કરી બેહુ જણ વિજયંત વિમાનમાં છત્રીસ સાગરોપમને આઉખે જઈ ઉપન્યાં. તિહાં દેવતાના ભોગ ભોગવી તિહાંથી આયુ પૂર્ણ થયે ચવીને આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુખનું ઘરરૂપ એવી પુષ્કલાવતી નામે વિજય મળે પુંડરિગિણિ નગરી છે. તેને વિષે અમરસેન નામે રાજા શ્રી જિનધર્મનો પાલનાર સર્વ ગુણે કરી અલંકૃત છે. તેની ગુણવતી નામે પટ્ટરાણી છે. તે પતિવ્રતા ધર્મની પાલનારી શીયલગુણે કરી શોભાયમાન પોતાના ભરતારને હર્ષ સંતોષને ઉપજાવનારી છે. તેની કૂખે વરદત્તકુમરનો જીવ જેમ છીપ માંહે મોતી નીપજે તેની પેરે આવીને ઉપન્યો. તે ગર્ભને સુખે પાલતાં અનુક્રમે નવ માસે પુત્ર પ્રસવ્યો. તે સંપૂર્ણ ગુણ લક્ષણે કરી શોભતો હતો. તે વારે માતા, પિતા, સ્વજન કુટુંબાદિકે મલી મોટો મહોત્સવ કરી તેનું શૂરસેન એવું નામ પાડ્યું. પછી તે પાંચ ધાવે પાલી જતો અનુક્રમે બાર વર્ષનો થયો તે વારે સર્વ વિજ્ઞાનમાં સર્વકાલ માટે પ્રવીણ થયો. એમ કરતાં જે વારે યૌવનાવસ્થા પામ્યો, તે વારે તેના પિતાએ ચોસઠ કલાની જાણ અપ્સરા સરખી રૂપવાલી એવી એકસો કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે વાર પછી કેટલેક કાલે તે સૂરસેનને પાટે થાપીને તેનો પિતા પરલોકે પહોંચ્યો. એવે સમયે ભવ્ય જીવરૂપ કમલવનને વિકસ્વર કરતા, મિથ્યાત્વરૂપ અંધકારને ટાલવામાં સૂર્ય સમાન એવા શ્રી સીમંધરસ્વામી આવી તિહાં સમોસટ્યા, તેમને આવવાની વધામણી વનપાલકે જઈને રાજાને આપી, રાજા પણ ભગવંતનું આગમન સાંભલી ઘણી હર્ષવંત થયો થકો પોતાના પરિવારને સાથે લઇ ઘણાં આડંબર સહિત પ્રભુને વાંચવા માટે આવ્યો. તિહાં પાંચ અભિગમ સાચવી પષદશમી ૪૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy