SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. માટે મારા ઉપર કૃપા કરી જેવું મારાથી બની શકે તેવું તપ પ્રકાશ કરો. તે વારે ગુરુએ પ્રથમ જે ગુણમંજરીને કાર્તિક શુદિ પંચમીનું તપ બતાવ્યું હતું, તેહિ જ તપ, વરદત્તકુમરને પણ જિહાં લગણ જીવે તિહાં લગણ કરવાની ભલામણ કરી અને વરદત્તકુમારે પણ તે તપ વિધિ સહિત કરવા અંગીકાર કર્યું. તેમજ રાજા અને રાણી તથા વલી બીજા પણ ઘણા જનો ભાવથી તે તપને અંગીકાર કરતા હતા. પછી ગુરુને વાંદીને સર્વ લોક પોતપોતાને સ્થાનકે ગયા. તિહાં ગુરુમુખે જે પ્રમાણે જ્ઞાનપંચમીનું તપ લીધું, તેજ પ્રમાણે રાજા પ્રમુખ સર્વ ભાવ સહિત પાલતા હતા, અને વરદત્તકુમર પણ રૂડી રીતે તપ કરતો હતો. તેના પ્રભાવથી જેમ રીસ ચઢાવીને જતો રહેલો માણસ પાછો ફરી ન આવે, તેમ વરદત્તકુમરના શરીર સંબંધી સર્વ રોગો પણ ક્રોધ કરી રીસ ચઢાવીને જતા રહ્યા. તેથી તેનું શરીર ઘણુંજ શોભવા લાગ્યું, પછી સ્વયંવરમંડપે વરદત્તકુમારની ઉપર રાગ ધરતી થકી વરદત્તકુમરને પરણવા માટે ઉત્સુક થયેલી એવી એક હજાર મોટા મોટા રાજાઓની કન્યાનું વરદત્ત કુમારે મોટા આડંબર સહિત મહોત્સવે કરી પાણિગ્રહણ કર્યું. - તે વરદત્તકુમાર પુરુષની બહોંતર કલાઓ પણ શીખ્યો. એમ તે ઉત્તમ હર્ષનો આપનાર સર્વ દુઃખનો હર્તા થયો. એકદા વરદત્તના પિતાએ વૈરાગ્યવાનું થઈ વરદત્તને રાજપાટે સ્થાપી ચારિત્ર અંગીકાર કર્યું. તે ચારિત્ર કેવું છે? તો કે પરભવે જતાં જીવને સંબલ સરખું છે, એવા ચારિત્રને સુખે સમાધે પાલતો વિહાર કરતો હતો. હવે વરદત્ત રાજા પણ પોતાનું રાજ્ય પાલતો પ્રજાને ઘણું સુખ આપતો ઘણી યશકીર્તિ પામતો હતો અને વર્ષોવર્ષ મોટી વિસ્તારવંત શક્તિએ કરી જ્ઞાનપંચમીનું તપ વિધિ સહિત કરતો હતો. એમ અખંડ છે આજ્ઞા જેની એવો સિંહ સમાન બલવાન્ થઈને સઘલા વૈરીઓને નમાવતો થકો મોટી પૃથ્વીનો ધણી એવો જે વરદત્ત રાજા, તે ઘણાં સુકતકાર્ય કરતો, મોટો ઉદાર મનથી સાત ક્ષેત્રે ધન વાપરતો, મોટા ઉત્સાહથી પંચમીતપને આરાધતો, ઘણાં વર્ષ પર્યત સંસારના ભોગ ભોગવી છેવટે સંસારને અસાર જાણી પોતાના પુત્રને રાજ્ય આપીને પોતે ગુરુ પાસેથી દીક્ષા અંગીકાર કરતો હતો. હવે ગુણમંજરી પણ વિધિ સહિત પંચમીનું તપ આરાધતી થકી ભગવંતને શુદ્ધ ભાવે પૂજતી થકી રહી. તેના પ્રભાવથી શરીરના રોગ સર્વ નાશ પામ્યા, તે વારે જ્ઞાનપંચમી ૪૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy