SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આગલ પાંચ સાથીઆ કરીએ, પાંચ વર્ષાં ધાન્ય ચઢાવીયે, તથા પાંચ દીવેટનો ઘૃતનો દીવો કરીએ, તેની આગલ પાંચ જાતિનાં ફલ તથા પાંચ જાતિનાં પક્વાશ ઢોઈએ, ગુરુનાં ચરણકમલને વંદન કરીએ, જ્ઞાન આગલ ભાવ સહિત ભવ્ય જીવે જ્ઞાનની પૂજાભક્તિ કરવી. એવી રીતે પાંચ વર્ષને પાંચ મહીના સુધી નિશ્ચે જ્ઞાનપંચમીના તપનું આરાધન કરવું. ત્રિકરણ શુદ્ધે કરી ડાહ્યા પુરુષોએ, એ રીતે મહીના મહીનાની શુક્લ પંચમીએ તપ કરવું, અને જો એ રીતે મહીને તપ ન કરી શકે તો જ્યાં લગણ જીવે ત્યાં લગણ પ્રત્યેક વર્ષમાં એક કાર્તિક શુદિ પંચમીને દિવસે પૂર્વોક્ત રીતે આરાધવું. એ જ્ઞાનપંચમીનું તપ જે પ્રાણી વિધિપૂર્વક કરે તેનું સૌભાગ્ય વધે, રુડું રુપ મલે, રોગનો નાશ થાય, ધન ધાન્ય પુત્રપૌત્રાદિક સંપદા મલે, બુદ્ધિ વિસ્તાર પામે, મોટાઈ, ઠકુરાઈપણું વધે, મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ, એ પાંચ પ્રકારનાં જ્ઞાન પ્રત્યે પામે, સ્વર્ગ મોક્ષનાં સુખ પામે, ભક્તિએ સહિત પંચમીનું સેવન કરવાથી એ પૂર્વોક્ત સર્વ સુખ પ્રાપ્ત થાય, નિર્મલ બુદ્ધિવાલો થાય. એમ એથી પૂર્વોક્ત સર્વ સંપદા પામીએ. ઈત્યાદિક ગુરુનાં વચન સાંભલીને શેઠ બોલ્યા કે હે ભગવન્ ! મારી પુત્રીને શરીરે રોગ વ્યાપ્યો છે, તેને યોગે મહીને મહીને ઉપવાસ કરવાની શક્તિ એમાં નથી, માટે વર્ષ વર્ષ પ્રત્યે કાર્તિક શુદિ પંચમીને દિવસે તપ કરશે, તેનો વિધિ કહો. તે વારે આચાર્ય મહારાજ કહેતા હતા કે પાટ ઉપર પુસ્તક સ્થાપન કરવાં ઈત્યાદિક જે કાંઈ પૂર્વે વિધિ કહ્યો છે, તે પ્રમાણે સર્વ વિધિ કરી ગુરુ પાસે આવી ભક્તિએ કરી તેમનાં ચરણકમલ પ્રત્યે વસ્ત્ર પડિલેહી વાંદીને ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરીએ. વલી તે દિવસે નમો નાણસ્સ” એ પદનો બે હજાર જાપ ઉત્તર સન્મુખ અથવા પૂર્વ સન્મુખ અથવા ઈશાન ખૂણે બેસીને કરીએ. હવે જો કદાપિ પંચમીને દિવસે પોસહ લેવાને ઉજમાલ થાય, તો ગણણું પ્રમુખ વિધિ તે દિવસે થઈ શકે નહીં, તે વારે પારણાને દિવસે પૂર્વોક્ત રીતે સર્વ વિધિ કરવો અને પારણાને દિવસે સાધુને વહોરાવી યથાશક્તિએ સાધર્મીને જમાડી સ્વામીવાત્સલ્ય કરીને પછી પોતે પારણું કરવું, ઉજમણું પણ યથાશક્તિએ કરવું. પુસ્તક, રુમાલ, પાઠાં પ્રમુખ જ્ઞાનનાં ઉપકરણ પ્રત્યેકે પ્રત્યેકે પાંચ પાંચ ગુરુને આપવાં, સૂત્રની નોકરવાલી પાંચ આપવી. ઈત્યાદિક વિધિ સાંભલીને ૩૬ જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy