SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ એવાં સ્ત્રીનાં કઠોર વચન સાંભલીને શેઠ કહેતો હવો કે હે પાપીણિ ! પગલે પગલે વાત વાતમાં મારી સામું બોલે છે ? તે વારે વલી સ્ત્રી બોલી કે પાપી તો તારો બાપ છે, મને શા માટે કહે છે ? ધિક્કાર છે તુજને ! હે ક્રોધમુખ ! હે કાલા મુખના ધણી ! તારાથી ક્રોધવાન્ વલી બીજો જગમાં કોણ છે ? એવી રીતે તે સ્ત્રી ભરતારનો નિરંતર દંતકલહ થયો. એવા દંપતીને સુખ તે સ્વપ્નમાં પણ ક્યાંથી હોય ? હવે એવાં સ્ત્રીનાં અસભ્ય વચન સાંભલી જિનદેવ શેઠે તે સમયે ક્રોધવંત થઈ પાસે એક પથરો પડ્યો હતો તે ઉપાડીને સ્ત્રી ઉપર ફેંક્યો, તે તેના માથામાં મર્મસ્થાનકે લાગ્યો, તેથી તે સ્ત્રી મરણ પામીને ઈહાં હૈ શેઠ! આ તારી પુત્રી થઈ છે. એણે જે પાછલે ભવે જ્ઞાનની મોટી આશાતના કરી છે તે કર્મના ઉદયથી એને એ રોગોત્પત્તિ થઈ છે. જે માટે લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે : કૃતકર્મક્ષયો નાસ્તિ, કલ્પકોટિશતૈરપિ ।। અવશ્યમેવ ભોક્તવ્ય, કૃતં કર્મ શુભાશુભમ્ // ૧ || અર્થઃ- જે કર્મ કરવાં હોય તે ક્રોડો ગમે કલ્પયુગ થઈ જાય તોપણ શુભ અથવા અશુભ જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભોગવ્યા વિના છૂટકો થાય નહીં અવશ્ય ભોગવવાજ પડે. એવી ગુરુની વાણી સાંભલી ઊહાપોહ કરતાં ગુણમંજરીને તિહાં જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું તેને યોગે પોતાનો પાછલો ભવ દેખીને તેથી મૂર્છા ખાઈ ભૂમિ ઉપર પડી ગઈ. તેને ચંદનવિલેપનાદિક શીતલ ઉપચાર કરચા, તેથી મૂર્છાવલી. તે વારે ગુરુને પ્રણામ કરીને આદર સહિત કહેવા લાગી જે હે સ્વામી ! તમે જે કહી તે સર્વ ખરેખરી વાત છે. અહો ! જૂઓ, એ જ્ઞાનનું માહાત્મ્ય કેવું છે ? ત્રણ જગમાં જ્ઞાનની બરાબરી કરનાર બીજો કોઈ પદાર્થ નથી. પછી સિંહદાસ શેઠ ગુરુને પૂછવા લાગ્યા કે હે કરુણાનિધિ ! હવે તમે મારી ઉપર પ્રસન્ન થઈને કહો કે શી રીતે એ પુત્રીના શરીરના રોગ જશે ? તે વારે આચાર્ય બોલ્યા કે હે શેઠજી ! જ્ઞાનના આરાધનથી સર્વ પ્રકારની સુખસમાધિ પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં દુઃખ મટી જાય છે માટે અજવાલી પાંચમને દિવસે વિધિપૂર્વક ચઉવિહારો ઉપવાસ કરીએ. વલી પુસ્તકને પાટ ઉપર સ્થાપીને તેનું સુગંધી ફૂલથી પૂજન કરીએ તથા ધૂપ ઉખેવીએ. મુખ જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy