SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અહો ભવ્ય જીવો ! જો તમે મુક્તિપદની વાંછા કરતા હોય, તો જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું ઈત્યાદિક જ્ઞાનના આરાધનને વિષે ઉદ્યમ કરો પરંતુ જ્ઞાનની વિરાધના મ કરો. કેમકે જે પ્રાણી માત્ર મને કરીને જ્ઞાનને વિરાધે તે ભવાંતરને વિષે શૂન્ય મનના ધણી થાય. વલી વિચાર કરી રહિત થાય, આંધલા, બહેરા, બોબડા, કુરૂપવંત થાય. તથા જે પ્રાણી વચને કરી જ્ઞાનને વિરાધના કરે તે માઠી બુદ્ધિના ધણી થાય, મુંગા થાય, મુખપાકાદિકના રોગે કરી દુઃખિત થાય તેમાં કાંઈ સંદેહ જાણવો નહીં. તથા તે જે પ્રાણી કાયાએ કરી જ્ઞાનને વિરાધ, જ્ઞાનનો યત્ન ન કરે, તે પ્રાણીને પરભવે કોઢ, પિત્ત પ્રમુખ મહા દુષ્ટ રોગ પેદા થાય, દેહ ક્ષીણ થાય. તથા જે પ્રાણી મન, વચન અને કાયા તે ત્રિકરણ યોગે કરી પોતે જ્ઞાનની વિરાધના કરે, કરાવે તથા અનુમોદે, તે પ્રાણી પરભવે મહા પૂર્ણ થાય, તથા તેનાં પુત્ર, સ્ત્રી, મિત્રાદિકનો ક્ષય થઈ જાય, ધનધાન્યનો નાશ થાય, અને તેને મનની ચિંતા માટે જ નહીં, તેના શરીરે અનેક પ્રકારના રોગ થાય. - ઈત્યાદિક અમૃત સમાન ગુરુની દેશના સાંભલીને સિંહદાસ શેઠ વિનયે કરી બે હાથ જોડીને ગુરુને પૂછતો હતો કે તે સ્વામિન્ ! કયે કર્મે કરીને મારી પુત્રીના શરીરને વિષે રોગ ઉત્પન્ન થયો છે? અને એને કયા ભવનાં કર્મ ઉદય આવ્યા છે? એણે શાં અશુભ કર્મ કર્યાં હશે ? તથા તે રોગ કેવી રીતે મટશે? તે વારે ગુરુ બોલ્યા હે મહાભાગ્ય ! સાંભલ. કર્મ કરીને પ્રાણીને શું શું નથી થતું? અર્થાત્ સર્વ કાંઈ થાયજ છે. નિશ્ચય કરીને આ સંસારને વિષે સુખ તથા દુઃખ જે કાંઈ જીવને થાય છે, તે સર્વ પૂર્વકૃત કર્મ વડેજ થાય છે; માટે એ તમારી પુત્રીએ પાછલા ભવમાં જ્ઞાનની વિરાધના ઘણી કરી છે, તે કારણે એનું શરીર રોગગ્રસ્ત થયું છે, માટે હું એનો પાછલો ભવ કહું છું તે સાંભલો અને હૃદયને વિષે ધરો. ધાતકીખંડના પૂર્વભરતમાંહે ઘણું શોભાયમાન અને સુખી પ્રાણીઓએ કરી વ્યાપ્ત એવું ખેટકપુર નામે નગર છે. તિહાં જિનદેવ નામે શેઠ વસે છે. તે મહા સંપત્તિમાન છે. તેને રુપે કરી મનોહર અને શરીરે ઘણી સુકુમાર એવી સુંદરી નામે સ્ત્રી છે. તેને એક આસપાલ, બીજો તેજપાલ, ત્રીજો ગુણપાલ, ચોથો ધર્મપાલ અને પાંચમો ધર્મસાર, એ પાંચ પુત્ર છે. તથા એક લીલાવતી, બીજી શીલાવતી, ત્રીજી રંગાવતી અને ચોથી મંગાવતી એ ચાર પુત્રીઓ છે. હવે જ્ઞાનપંચમી ૩૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy