SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ માતાપિતાએ શુભ મુહૂર્ત જોઈ વિદ્યાભ્યાસ કરાવવા માટે પંડિત પાસે બેસાડ્યો. પંડિત પણ રાજાનો કુમાર જાણીને તેને ઘણો પ્રયાસ લઈ ભણાવવા લાગ્યો પરંતુ તે કુમારને એક અક્ષર માત્ર પણ મુખે ચઢે નહીં તો વળી બીજાં મોટાં શાસ્રો ભણવાની તો વાત શી કરવી ? એમ કરતાં તે કુમર યૌવનાવસ્થા પામ્યો. તે વારે પૂર્વકૃત અશુભ કર્મના ઉદયથી તે કુમરના શરીરે કોઢનો રોગ ઉત્પન્ન થયો. તેણે કરી તેનું શરીર કુશોભાવંત, કાંતિરહિત અને કુત્સિત થયું, તેથી તે ઘણું દુઃખ પામતો થકો કાલ નિર્ગમન કરવા લાગ્યો. ક્યાંહિ પણ સુખ પામે નહીં. હવે તેજ નગરમાંહે એક સિંહદાસ શેઠ રહે છે. તે જિનધર્મનો પાલનાર છે. સાત ક્રોડ સોનૈયાનો ધણી છે. જગત્માં તેનું નામ પ્રખ્યાતિ પામેલું છે. તેની કપૂરતિલકા નામે સ્ત્રી છે, તે સર્વ ગુણના ઘરરુપ છે, પોતાના ભરતારના ચિત્તની જાણનારી છે, બ્રહ્મચર્ય ગુણે કરી સુશોભિત છે, પતિવ્રતાધર્મની પાલનારી છે, મહા શીલવતી છે. તેને એક ગુણમંજરી નામે પુત્રી છે. તે અદ્ભુત વિનયની ધરનારી છે. પરંતુ તેનું શરીર પણ સમકાલે રોગે કરી પીડા પામે છે, વચને મુંગી છે, તે માટે તે શેઠે પોતાની પુત્રીને નીરોગી થવા સારુ અનેક ઔષધો કરચાં પણ તેના રોગની શાંતિ થઈ નહીં. એવી સ્થિતિમાં તે યૌવનાવસ્થા પામી પરંતુ તેનું કોઈ પણ પાણિગ્રહણ કરે નહીં. એમ કરતાં જે વારે તે સોલ વર્ષની થઈ, તે વારે તેનાં માતાપિતાદિક સર્વ પરિવાર મહા દુઃખે પીડ્યાં થકાં ચિંતા કરવા લાગ્યાં : યાચકો પંચકો વ્યાધિઃ, પંચત્યું મર્મભાષક: || યોગિનામય્યમી પંચ, પ્રાયણોદ્વેગહેતવઃ || ૧ || ભાવાર્થ:- એક માગણ જન, બીજો ધૂતારો, ત્રીજો રોગ, ચોથું મરણ, પાંચમો મર્મ બોલનાર, એ પાંચ વાનાં જે છે, તે યોગીને પણ પ્રાયઃ ઉદ્વેગનાં કરનારાં છે. હવે એકદા નગરની બહાર ચાર જ્ઞાનના ધરનાર, પાંચ સમિતિએ સમિતા, ત્રણ ગુપ્તિએ ગુપ્તા એવા વિજયસેનસૂરીશ્વર, તે ગ્રામાનુગ્રામે વિહાર કરતાં ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા તિહાં પધારવા, તે વારે તે નગરના સર્વ લોક તથા રાજા પણ પોતાના પુત્ર સહિત કુટુંબ પરિવારને સાથે લઈને મુનિરાજને વાંદવા આવ્યા. તિહાં ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિપૂર્વક ગુરુને વાંદીને તે સર્વ યથાસ્થાનકે ધર્મદેશના સાંભલવા બેઠા. ગુરુ પણ ભવ્ય જીવોના ઉપકારને અર્થે ક્લેશરુપ દોષની હરનારી એવી ધર્મદેશના દેતા હતા કે : જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only ૩૧ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy